Charotar Sandesh
ગુજરાત ચરોતર

ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૯ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૭ પોઝીટીવ નોંધાયા…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 ના મોત, 770 દર્દી સાજા થયા…

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 949 કેસો નોંધાયા છે. અને 17 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે 770 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હાલ રાજ્યમાં કુલ 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 11393 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 2108 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 46516 પર પહોંચ્યો છે.

આ સાથે આણંદ શહેરમાં આજે લોકોની સાવચેતીથી એકપણ કેસ નોંધાયા નથી તેમજ જિલ્લામાં અન્ય ગામોમાં વધુ ૭ કેસો નોંધાયા છે, જેમાં બોરસદમાં ર, પેટલાદમાં ૩, ખંભાતમાં ૧ અને નાપાડ-તડપદમાં ૧ કેસો પોઝીટીવ આવેલ છે. જેઓને સારવારઅર્થે ખસેડી આરોગ્ય ખાતા દ્વારા સ્થળોને સેનેટાઈઝની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જિલ્લા વાઇઝ નવા નોંધાયેલા કેસ…

સુરત 234
અમદાવાદ 184
વડોદરા 77
રાજકોટ 58
ભરૂચ 47
ભાવનગર 44
જૂનાગઢ 33
ગાંધીનગર 32
નવસારી 30
ખેડા 21
મહેસાણા 21
વલસાડ 17
જામનગર 16
દાહોદ 15
કચ્છ 15
પાટણ 15
ગીર સોમનાથ 13
સુરેન્દ્રનગર 13
સાબરકાંઠા 12
બનાસકાંઠા 11
પંચમહાલ 10
આણંદ 7
મોરબી 5
તાપી 5
બોટાદ 4
અમરેલી 3
મહિસાગર 3
છોટાઉદેપુર 1
દેવભૂમિ દ્વારકા 1
નર્મદા 1

Related posts

ગુજકેટની પરીક્ષા જાહેર : ૩૧ માર્ચ-૨૦૨૦ના રોજ લેવાશે…

Charotar Sandesh

ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી ચોરાયેલું બાઈક પકડતી આંકલાવ પોલીસ…

Charotar Sandesh

બ્રેકિંગ : આણંદ જિલ્લાના તારાપુરહાઈવે પર ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧૦ લોકોના કરૂણ મોત

Charotar Sandesh