Charotar Sandesh
ચરોતર ધર્મ

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

દિવાળીનો તહેવાર એક એવો ઉલ્લાસભર્યો તહેવાર છે જેને દરેક ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. હિન્દુઓનુ સૌથી મોટો તહેવાર. આ તહેવાર નવા વર્ષ પર નવી આશાઓ અને નવા સપના લઈને આવે છે. દિવાળીમા ધનની દેવી માતા લક્ષ્મીનુ વિશેષ મહત્વ હોય છે. મા લક્ષ્મીનુ પૂજન કરવાથી સદૈવ જીવનમા લક્ષ્મીની કૃપા બની રહે છે. ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે છે.

આમ તો આપણે દિવાળીમા આપણા કુળદેવતા સહિત દરેક ઈશ્વરની પૂજા કરીએ છીએ. પણ લક્ષ્મીની પૂજા વિશેષ રૂપે કરીએ છીએ. દિવાળી એટલે અમાસની રાત. આ રાતના ચાર પ્રહર હોય છે. પ્રથમ નિશા, બીજો દારૂણ, ત્રીજો કાળ અને ચોથો મહા પ્રહર કહેવાય છે. જ્યોતિષના કહેવા મુજબ મા લક્ષ્મીજીની પૂજા અને આરાધના મધ્યરાત્રિ પછી કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે અને ઘરમા ધનની વર્ષા થાય છે.

મેષ અને વૃશ્ચિક રાશિ : આ બને રાશિના દેવ મગળ છે. મગળની દેવી માતા ભુવનેશ્વરીની પૂજા અર્ચના કરવાથી યોગ્ય ફળ મળે છે. લક્ષ્મીને લાલ ગુલાબ તેમજ બેસનના લાડુ અર્પણ કરો. સિદ્ધિ યત્રનુ રોજ પૂજન કરવાથી યોગ્ય ફળ મળે છે.

વૃષભ તથા તુલા રાશિ : આ બે રાશિના સ્વામી છે શુક્રદેવ. આ રાશિના જાતકોએ ઉત્તમ ફળ આપનારી મા માતગીની આરાધના કરવી ફળદાયક રહેશે. આ રાશિના જાતકોએ સવારે નિત્યકાર્યોથી પરવારીને માતા માતગીને બાજટ પર વિરાજમાન કરાવીને તેમની જળ, અત્તર અને મોગરાના ફૂલથી પૂજન કરવુ. આ રાશિના જાતકો માટે ભાગ્યવૃદ્ધિ યત્રની પૂજા કરવી લાભકારી છે. પ્રસાદના રૂપમા માતાને ચોખાનો લાડુ અર્પણ કરો.

મિથુન અને કન્યા રાશિ : મિથુન અને કન્યા રાશિના જાતકોએ મા ભૈરવીની પૂજા અર્ચના કરવી જોઈએ. આ માટે તેમણે દિવાળીના દિવસે શુભ સમયમા માતાની ફુલ, ગુલાબ અને સુગધ વડે વિધિસર પૂજા કરવી. માતાને કેવડો ચઢાવવાથી વિશેષ લાભ મળશે. પ્રસાદના રૂપમા માતાને ધાણી અને પતાશા ચઢાવો. આ રાશિના લોકો માટે સિદ્ધિ યત્રની પૂજા કરવી ફાયદાકારક છે.

કર્ક રાશિ અને સિહ રાશિ – કર્ક રાશિના સ્વામી ચદ્ર છે. આ રાશિના લોકોએ દુર્ગાદેવીની આરાધના કરવી જોઈએ. માતા દુર્ગાને સફેદ ફુલ અને ખીર ચઢાવીને દુર્ગા પાઠ કરવા જોઈએ. બની શકે તો એક કન્યાને ભોજન કરાવીને તેને અભ્યાસની કોઈ સામગ્રી ભેટ રૂપે આપવાથી માતા તમારા જીવનના તમામ દોષ દૂર કરશે. સિંહ રાશિના જાતકોનો સ્વામી સૂર્ય છે. તેથી તેમણે દિવાળીના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરીને માતા ભાગવતીની આરાધના કરવી. માતાની કમળ પુષ્પથી પૂજા કરવી.

ધન અને મીન રાશિ –આરાશિના જાતકો – આ રાશિના લોકોનો સ્વામી ગુરૂ છે. આ રાશિના જાતકોએ દિવાળીના દિવસે ચોખા, હળદર, કકુનો ઉપયોગ કરી, બગલામુખી માતાની આરાધના કરવી. બગલામુખીને સફેદ પુષ્પ અને કોઈપણ સફેદ પ્રસાદ અર્પણ કરો.

મકર અને કુભ રાશિ – આ રાશિના જાતકોનો સ્વામી શનિ છે, શનિ ગ્રહની શાતિ માટે મહાકાળીની પૂજા કરવી શુભ ફળદાયક હોય છે. મહાકાળીને ચમેલીના ફુલ અને કોઈ પણ મીઠાઈ અર્પિત કરીને તેમની પૂજા અર્ચના કરવી.

  • Jagdish Ravani, Anand – Mo. 97143 93908

Related posts

આણંદ જિલ્લામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ : વધુ ૩૩પ ફિરકાઓ ઝડપાયા

Charotar Sandesh

આણંદ નગરપાલિકાની શાળા નંબર ૩૧, ૨૮ અને ૩૩ ખાતે થયેલ શાળા પ્રવેશોત્સવ યોજાયો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના રિકવરી રેટ ૮૩ ટકા જે રાજ્યમાં સૌથી વધારે : કલેકટર આર.જી. ગોહિલ

Charotar Sandesh