વિશ્વની પ્રાચીનત્તમ સંસ્કૃતિઓની સાડીમાં પાલવનું સ્થાન ધરાવતી સંસ્કૃતિ એટલે ભારત…
ભારતમાં માત્ર હિંદુ જ નહીં પરંતુ ઈસ્લામ, શીખ, અને ખ્રિસ્તી ધર્મના સ્થાપત્યો પણ આવેલા છે.આપણો ભારત દેશ ધર્મની સાથે સાથે ભૌગોલિક વિવિધતા ધરાવે છે…
ભારત દેશ મંદિરોનો દેશ છે.છતાં અહીં વિવિધતામાં એકતાની પૂજા થાય છે. હિંદુઓની ધરોહર આ ભૂમિ ઉત્તરે હિમાલય ભગવાન શિવને ખોળામાં લઈ બિરાજમાન છે જ્યારે દક્ષિણે સાગર શિવનાં જ ચરણોને પખાળે છે. પશ્ચિમે દ્વારકાધીશની ધજા ફરકે છે જ્યારે પૂર્વમાં ભગવાન જગન્નાથ હાસ્ય કરે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ દેશની ચારે બાજુ પથરાયેલા મંદિરો હકીકતમાં હિંદુઓના જ આસ્થા કેન્દ્રો નહીં પરંતુ દેશની તમમ પ્રજા માટેના ઉર્જા કેન્દ્રો છે. અને ભારતીય મંદિરોમાં ગોઠવાયેલી મૂર્તિઓ ભારતીય પરંપરામાં રહેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિની સૂચક છે.
ભારતમાં માત્ર હિંદુ જ નહીં પરંતુ ઈસ્લામ, શીખ, અને ખ્રિસ્તી ધર્મના સ્થાપત્યો પણ આવેલા છે.આપણો ભારત દેશ ધર્મની સાથે સાથે ભૌગોલિક વિવિધતા ધરાવે છે.અહીં પર્વતીય,દરિયાઇ અને રણ એમ ત્રણેય પ્રદેશો અનોખી ભાત પાડે છે. હિમાલયની પહાડી સંસ્કૃતિ કે રાજસ્થાનની તથા કચ્છની રણ સંસ્કૃત તથા દક્ષિણ -પૂર્વની દરિયાઈ સંસ્કૃતિ વિશ્વને વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ભારતીય પ્રજા મૂળ આર્ય સંસ્કૃતિને પ્રવાહિત કરનાર આર્ય પ્રજા છે. મુખ્ય ખેતી પ્રધાન આ દેશ ઉદ્યોગો, પ્રત્યાયન અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ખૂબ આગળ હોવા છતાં ખેડૂતોને જગતનો તાત ગણે છે.અમદાવાદ,મુંબઈ, દિલ્હી, જયપુર, શ્રીનગર, ચંદીગઢ, આગ્રા,ભોપાલ,પટના,કલકત્તા,બેંગલોર,હૈદરાબાદ,તિરુવન્તપુરમ એ દેશની ફરકતી ધજાઓ છે અને એ તમામ ભારતીયતાના મંદિર પર ફરકે છે.
-
લેખક:- એકતા યુ. ઠાકર – આચાર્યાશ્રી, બામણગામ, તા.આંકલાવ, જી.આણંદ