આગામી ૩ વર્ષમાં એક હજાર ઇલેક્ટ્રીક બસ ખરીદાશે. ૫૦ બસનો છસ્ઝ્ર દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે. વધુ ૩૦૦ બસની ખરીદી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. પ્રદૂષણને અટકાવવા માટે છસ્ઝ્ર ઇલેક્ટ્રીક બસો દોડાવશે.
અગાઉ મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, ઇલેકટ્રીક મોબીલીટી અને મેટ્રોની સેવા શરૂ થયા બાદ ૨૦૨૦ સુધીમાં એએમટીએસ, બીઆરટીએસ અને ઇલેક્ટ્રીક બસોની ટ્રાન્સપોર્ટેશન સેવા હેઠળ ૨૦ લાખ લોકોને આવરી લેવાનો અંદાજ છે, જેના કારણે એક તો શહેરમાં સૌથી જટિલ બનેલી ટ્રાફિકની સમસ્યા હલ થશે, સાથે સાથે પર્યાવરણ અને વાતાવરણ(હવાની ગુણવત્તા)ની શુધ્ધતા જળવાશે તેમ કÌšં હતું.
મહત્વનું છે કે ૫ વર્ષ દરમિયાન વર્લ્ડ બેન્ક દ્વારા પર્યાવરણ જાળવણી માટે રૂપિયા ૭ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. જેમાં વર્લ્ડ બેન્ક દ્વારા પર્યાવરણને લગતા અલગ અલગ વિષયો પર ટેÂક્નકલ સહાય મળશે તેમજ ટેÂક્નકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે પણ ઁઁઁ ધોરણે મદદ કરવામાં આવશે.