Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ટ્રેન્ડીંગ

વૈશ્વિક મહામારી કોરોના સામેના યુદ્ધમાં વ્યક્તિએ પોતે જ શ્રીકૃષ્ણ અને અર્જુન બનવું પડશે…!

દિવસે પ્રચારમંત્રી કહે, “સાથે મળી વિકાસ કરશું,”
માસ્ક વિના કહ્યું ” દો ગજ કી દુરી રાખશું”
ચોર શાહનો ન્યાય એકે, બાર વર્ષે બાવો બોલ્યો વિવેકે.
ચિંતા ના કરો આવતી સરકારે સ્મશાનની વ્યવસ્થા કરશું”


પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
સસ્તા ઇન્જેક્શન વહેચાયા ઊંચે દામ,
સિયાસતી ધર્મ બગલમે છૂરી મુહમે રામ.

હાલની પરિસ્થિતિ જોતો એ સ્પષ્ટ થઈ ગયું છે કે જીવન અને મરણની આ મુશ્કેલ સમયમાં જો વ્યક્તિ પોતે જાગૃત નહી થાય ત્યાં સુધી આ રોગ સામે લડવા માટે સક્ષમ નહી બની શકીએ. માર્કેટમાં આંધળી લૂંટ ચાલી રહી છે, ઇન્જેક્શન નામે, બેડની વ્યવસ્થા નામે, સારવારની નામે આજે મંગળ પર જીવન વિકસવાની વાતો કરનાર મનુષ્ય લાચાર બનીને એક માત્ર અદ્ર્શ્ય વાઇરસ સામે લડવા માત્ર ઝઝૂમી રહ્યો છે ત્યારે સરકાર કોઈ વ્યવસ્થા કરે ન કરે પરંતુ વ્યક્તિ પોતે શકય એટલો પ્રયત્ન કરવો જોઈએ જેનાથી આપણા મિત્રો, સ્વજનો બચાવી શકાય.

કોરોના વાઇરસના કારણે આખી દુનિયા પર જાણે શટર લાગી ગયું છે. જે સ્થળો પર એક સમયે લોકોની ભીડ જામેલી હતી, ત્યાં આજે સન્નાટો પ્રસરી ગયો છે. શહેરોમાં લૉક-ડાઉન છે, સ્કૂલો બંધ છે, યાત્રા કરવા પર પ્રતિબંધો લગાવી દેવાયા છે અને એક લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. વિશ્વના દેશોમાં કોરોના પર ધીમે ધીમે નિયંત્રણ આવતા જાય છે જેને લઈને જે કોઈપણ કડક કાર્યવાહી કરવામાં આવે તે કરાવી પરંતુ આ મહામારીથી લાદવામાં કોઈ કચાસ ન જોઈએ. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે તેમને એવો વિશ્વાસ છે કે આગામી 12 અઠવાડિયાની અંદર દેશ કોરોના પર નિયંત્રણ મેળવી લેશે. પરંતુ ખરી વાત તો એ છે કે જો કોરોના પૉઝિટીવ દર્દીઓના કેસ ઘટવાના શરૂ થઈ જાય, તો પણ આપણે આગામી ત્રણ અઠવાડિયામાં કોરોનાના અંતથી ઘણા દૂર હોઈશું.

આ સુનામીનો અંત થવામાં લાંબો સમય વીતી શકે છે – કદાચ તેના માટે વર્ષો પણ લાગી શકે છે. દુનિયાના દેશો આ મામલે વ્યૂહરચના ઘડી શકે છે કે કેવી રીતે પ્રતિબંધો હટાવીને કોરોનાને દુનિયાથી દૂર કરવો. જોકે, કોરોના વાઇરસ મૂળમાંથી હાલ તો નહીં જઈ શકે.યુનિવર્સિટી ઑફ ઍડિનબર્ગના પ્રોફેસર માર્ક વુલહાઉસ કહે છે, “વ્યૂહરચના ઘડવી ખૂબ મુશ્કેલ કામ છે. આ માત્ર યુકેની સમસ્યા નથી પણ દરેક દેશોની સમસ્યા છે. આ એક મોટો વૈજ્ઞાનિક અને સામાજિક પડકાર છે.”

કોરોના વાઇરસથી મુક્તિ મેળવવાના અલગ રસ્તા હોઈ શકે છે.જેનાથી કોરોના સામે વ્યક્તિ લડી શકે કેમ છેડાયેલા આ યુદ્ધમાં વ્યક્તિએ પોતે જગરૂત થવાની જરૂર છે.

રસી ચેપ સામે લડવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે અથવા તો હંમેશાં માટે આપણે આપણું રહન-સહન અને સોસાયટીને બદલી નાખીએ. આ એ રસ્તા છે, જેનાથી વાઇરસને ફેલાતો અટકાવી શકાય છે. રસીની વાત કરીએ તો તેનાથી એક વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ મળે છે. એટલે જો વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવે છે, તો પણ તે બીમાર પડતી નથી. જો દુનિયાની 60% વસતીમાં રોગપ્રતિકારક શક્તિ હોય અને વાઇરસ ફેલાય છે, તો તેનો વ્યાપ વધતો નથી.

હાલ જ અમેરિકામાં એક વ્યક્તિ પર રસીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે કેસ ઓછા થવા લાગે છે, ત્યારે પ્રતિબંધો હઠાવવા માટે થોડો સમય મળી જાય છે. એવું ત્યાં સુધી થાય છે જ્યાં સુધી કેસ ફરી વધવા ન લાગે અને ફરીથી પ્રતિબંધો ન મૂકવા પડે. જોકે, દરેક વસ્તુ પર આપણી મરજી પ્રમાણે પ્રતિબંધ લગાવવા શક્ય નથી. પરંતુ તેનાથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટીની શક્યતા રહે છે.વારંવાર આપણી સામે આવી રહી છે એ રોગપ્રતિકાર શક્તિની છે.

રોગપ્રતિકારક શક્તિના મુખ્યત્વે બે ઘટક હોય છે.
૧. સહજ પ્રતિસાદહ
૨. સ્તગતહસ્તગત કરેલો પ્રતિસાદ.

સામન્ય રીતે આપણાં શરીરમાં અલગ અલગ હજારો પ્રકારના જાતજાત ના કોષો કામ કરતા હોય છે. જેઓ બહારથી આવતા આક્રમણ કર્તાઓને ઓળખી, સંદેશા વહન કરતાં જીવાણુઓ ભક્ષણ કરવાનો અથવા દુશ્મન સાથે લડવાના કામો કરે છે. શરીરમાં કોઈ ચોક્કસ દુશ્મનની ઓળખ થઈ જાય પછી આપણી રોગપરતિકારક શક્તિનો આ હિસ્સો, પેલા દુશ્મન ને ખતમ કરી શકે તેવા કોષને ઓળખી કાઢે છે અને પછી તેને એ દુશ્મન સામે લડવા મોકલે છે.

રોગપ્રિકારક શક્તિના આ પૈકીના કેટલાક કોષો વિશે જાણકારી મેળવવા માટે ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધકો લેસર માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરી રહ્યા છે.તેમનું સંશોધન દર્શાવે છે કે આપણી રોગપ્રિકારકશક્તિ કેટલી જટિલ અને સુસંકલિત છે. એ દર્શાવે છે કે આપણા શરીરમાં દિવસ-રાત વિવિધ કોષો એકબીજા સાથે સતત ‘વાત’ કરે છે. એ દર્શાવે છે કે આ વૈવિધ્યસભર ક્રિયા-પ્રતિક્રિયાના મોટા હિસ્સાને આપણે હજુ સમજી શક્યા નથી. તેથી કોઈ આપણી રોગપ્રિકારકશક્તિ ને શક્તિશાળી બનાવવાનો દાવો કરે કે વાત કરે ત્યારે આપણે સૌથી પહેલાં એ સવાલ કરવો જોઈએ કે તે દાવો કે વાત રોગપ્રતિકારશક્તિના ક્યા હિસ્સાને શક્તિશાળી બનાવવા માટે છે? એ કેવી રીતે કરવામાં આવશે? સૌથી મહત્વની વાત છે શક્તિવર્ધનના પુરાવા. સજ્જડ વૈજ્ઞાનિક પુરાવા મળવા મોટાભાગે મુશ્કેલ હોય છે.

આપણી રોગપ્રિકારકશક્તિ ને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી હોય છે. સાથે સાથે કસરત, ધ્યાન, યોગ, પ્રાણાયામની પણ જરૂરત હોય છે. જેમનામાં વિટામિન D કે વિટામિન Cની કમી હોય તેમણે તેનાં સપ્લિમૅન્ટસ લેવાં પડે છે. જોકે, ખોરાકમાંથી વિટામિન્સ અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં મળી રહેતાં હોય છે. જેમાંથી વિટામિન મળતા હોય તેવો ખોરાક લેવો પડે છે. તેથી જો આપણે આરોગ્યવર્ધક ખોરાક લેતાં હોઈએ તો આપણાં શરીર માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ તેમાંથી મળી રહે. વિટામિન્સનું પ્રમાણ વધારવાથી તમને રોગ સામે લડવાની વધારે શક્તિ પ્રાપ્ત થશે એવું કહેવું થોડું વધારે પડતું હશે. વાસ્તવમાં કેટલાંક વિટામિન્સ અને મિનરલ્સ જરૂર કરતાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો એ ઘાતક સાબિત થતાં હોય છે. દાખલા તરીકે, વધારે પડતું વિટામીન A ઝેરી અને જીવલેણ બની શકે છે. એકિનેસિયા, સેલેનિયમ, બીટા-કેરોટિન, ગ્રીન ટી, બાયોફ્લેવોનોઈડ્ઝ, લસણ અને વ્હીટગ્રાસ જેવાં સપ્લિમૅન્ટસ સુક્ષ્મ જંતુઓથી આપણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે કે કેમ તેની જાણકારી પણ સંશોધનમાં મેળવવામાં આવી હતી. આ ઉપરાંત આ બાબતો આપણી રોગપરતિકારકશક્તિ બહેતર બનાવતી હોવાનું દર્શાવવામાં આવ્યાનો અર્થ એ નથી કે તે રોગ સામે લડવાની આપણી ક્ષમતામાં વધારો કરશે. ખરેખર તો, કોઈ ચોક્કસ સારવાર લોકોને ચેપ લાગતો અટકાવી શકે અથવા ચેપની તીવ્રતા ઘટાડી શકે કે કેમ તેનું વ્યવસ્થિત પરીક્ષણ કરવાની જરૂર છે.

  • મહામારીમાં વ્યક્તિએ રોગપ્રિકારકશક્તિ વધારવા માટેના સામાન્ય ઉપાયો :

    રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફણગાવેલા કઠોળ ઘણા ફાયદાકારક હોય છે. તમારે ફણગાવેલા કઠોળ વધારે માત્રામાં ખાવા જોઈએ. એનાથી વિટામિન-સીની ઉણપ દૂર થઈ જાય છે. સાથે જ તમને મોસમી બીમારીઓ પણ થશે નહીં. ચ્યવનપ્રાશમાં ઘણુ વધારે વિટામિનસી મળી આવે છે, એવામાં તમારે એનું સેવન જરૂર કરવું જોઈએ. તમે ફણગાવેલા મગ અને ચણાની દાળ ખાઈ શકો છો, એમાં ઘણું વધારે વિટામિન-સી હોય છે. લીંબુ, સંતરા, મોસંબી, આંબળા, અનાનસ, ટામેટા વગેરે વસ્તુઓનું સેવન કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ જાય છે. તમારે આ વસ્તુઓનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ બધા સિવાય તમારે દૂધનું સેવન કરવું જોઈએ, જેનાથી તમને ઘણી વધારે મદદ મળશે.

  • રોગ સામે આપણે આપણી રોગપરતિકારકશક્તિ ને કેવી રીતે ડેવલપ કરવી જેનાથી આ ભયાનક રાક્ષસ સામે લડવા માટેની કેવી રીતે મદદ મળે તેવા સૂચનો કાર્ય છે જે ખુબજ જરૂરી છે.
    ૧. શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું.
    ૨. સમાજીક મેળાવડા ટાળવા.
    ૩ માસ્ક બાંધી ને નીકળવું.
    ૪. હાથ મિલાવવા અથવા ભેટવું એના કરતાં દૂરથી જ નમસ્તે કરો.
    ૫. ખૂબ જ પાણી પીવો.
    ૬. લીલાં શાકભાજી અને ફ્રૂટ ખાવો.
    ૭. ઠંડા પીણા અને બજારુ ખોરાક થી દુર રહો.
    ૮. વહેલા ઊઠી પ્રણાયમ અથવા ધ્યાન કરો.
    ૯. શરદી ખાંસી જેવું લાગે તો તરત નજીકના સ્વાસ્થ કેન્દ્ર પર જાઓ.
    ૧૦. કોઇનો પણ રૂમાલ, પેન કે ચશ્માનો ઉપયોગ કરવો નહી. ૧૧. વારંવાર હાથ ધોવા અને દર્દીઓને આઇસોલેશનમાં સારવાર આપવી.
    ૧૨. વાઇરસથી ગ્રસ્તલોકોના સંપર્કમાં આવવનું ટાળવું.

  • પિન્કેશ પટેલ – ‘કર્મશીલ ગુજરાત’

 

Related posts

ધોની સ્વતંત્રતા પર્વે લદ્દાખમાં તિરંગો ફરકાવશે..!!

Charotar Sandesh

સતત ૪૨ મિનિટ દોડતા રહ્યાં ૯૬ વર્ષના દાદા : તોડયા તમામ રેકોડર્ઝ…

Charotar Sandesh

દેશના ૭૧માં ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી : દિલ્હીના રાજપથ પર પરેડમાં જોવા મળી…

Charotar Sandesh