આણંદ : શ્રી સર્વ સમાજ યુવા સેના-કાણીસા દ્વારા દાતાશ્રી સ્વ.વાઘજીભાઈ મોતીભાઈ પટેલ સહપરિવાર તરફથી જરુરીયાતમંદ લોકોને નિઃ શુલ્ક ભોજન ટીફીન સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભોજન સેવામાં ખંભાત સ્થિત કેનેડી હોસ્પિટલ, કાર્ડીયાક કેર હોસ્પિટલ, સામવેદ હોસ્પિટલ, ચંચળબા હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલોમાં દાખલ થયેલ દર્દીઓ તથા તેમના સાથે રહેતા તેમના પરિવાર ના સભ્યો ને બપોર ના જમવા ની સેવા આપવા માં આવી હતી. હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ પરીવાર તરફ થી ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. ખંભાત ના જરુરીયાતમંદ લોકોને પણ આ સેવાનો લાભ આપવા માં આવ્યો હતો. ખંભાત નગરપાલિકાના કાઉન્સિલર સાગરસિંહ સોલંકી, રાહુલસિંહ ઝાલા તેમજ કાણીસા ગામના ભાથીજી ફળિયામાં રહેતા મહિલાઓએ ખૂબ જ ઉત્સાહ સાથે સહકાર આપ્યો હતો.