લખનૌ : આજે કારતક પૂર્ણિમાના દિવસે મહાદેવની નગરી કાશીમાં દેવ દિવાળીનું ભવ્ય આયોજન કરાયું. ગંગાના કિનારે ૮૪ ઘાટ પર ૧૦ લાખ દીવા પ્રગટાવ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રાજ્યની યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગંગાના કિનારે ૮૪ ઘાટ પર ૧૦ લાખ દીવાઓ પ્રગટાવ્યા હતા, જ્યારે જનભાગીદારી સાથે લગભગ ૧૧ લાખ દીવાઓ પ્રગટાવ્યા હતા. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો.
ત્રિપુરાસુરના વધની ખુશીમાં, દેવતાઓએ કાશીમાં દીવાઓ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી અને તેથી જ Kashiમાં દર વર્ષે કારતક માસની પૂર્ણિમાએ દેવ દીપાવલી ઉજવવામાં આવે છે
દિવાળીના અવસર પર ગંગાના પશ્ચિમ કિનારે આવેલા ૮૪ ઘાટો પર લગભગ આઠ લાખ દીવાઓ પ્રગટાવ્યા છે. આ સાથે પૂર્વ કિનારો પણ લગભગ બે લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યો છે.
Other News : વંદે ભારત એક્સપ્રેસે આણંદમાં મહિલાને અડફેટે લીધી : ૩૪ દિવસમાં ટ્રેનનો ચોથો અકસ્માત, જુઓ વિગત