કેન્દ્ર મંત્રાલયે રાજ્યોને પત્ર લખી સૂચના આપી કે, બધા વેન્ટિલેટર ચેક કરી રાખો અને ઓક્સિજનનો સ્ટોક રાખો
ન્યુ દિલ્હી : ચીનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિએન્ટને લઈ ભારતમાં કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે, જેને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર મોકલી આદેશ આપ્યા છે કે, ભારતમાં કોરોનાની ગતિ ધીમી છે, પરંતુ આવનારા પડકાર માટે આપણે અગાઉથી તૈયાર રહેવું પડશે, તમામ રાજ્યોને ઓક્સિજનના પુરવઠામાં કોઈ કમી ન થાય તેનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય મશીનોને સારી સ્થિતિમાં રાખવા જોઈએ.
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ જાપાન, અને થાઈલેન્ડ આ પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. કોઈપણ મુસાફરમાં Covid-19નાં લક્ષણો જોવા મળે તો તે લોકોને ક્વોરેન્ટીન કરાશે.
Other News : દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીનું સંબોધન : કહ્યું ભાજપે મારી છબિ ખરાબ કરવા કરોડો ખર્ચ્યા