આણંદ : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસીયા, મહામંત્રી પ્રવિણસિંહ રાજ અને આણંદ તાલુકાના પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રી ભાવેશભાઈ જાદવ દ્વારા આણંદના કલેકટર સાહેબની બીએલઓની કામગીરી તથા બીએલઓના પ્રશ્નો બાબતે મુલાકાત લેવામાં આવી.
કામગીરીમાંથી સમાન ભાગમા બીએલઓની કામગીરી તમામ કેડરના કર્મચારીઓને સોપવા રજૂઆત કરવામાં આવી
કલેકટર સાહેબએ શાળાદીઠ એક જ શિક્ષકશ્રીને કામગીરી અપાશે તેવી વાત કરી છે. આ ઉપરાંત આણંદ તાલુકાના ચૂંટણી ભથ્થા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
Other News : અમુલના એમડી પદેથી આરએસ સોઢીનું રાજીનામું, નવા એમડી તરીકે જયેન મહેતાની નિમણૂક