માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની જવાબદારી
નવીદિલ્હી : દેશમાં ઓડિસ્સાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટનાની ઘટનાને લઈ ભારતભરમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૮૮ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.
જે બાદ એશિયાના ટોપ-૧૦માં રહેલ બિઝનેસમેન ગૌતમ અદાનીએ મહત્ત્વની જાહેરાત કરી છે કે, ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો ખર્ચ અદાણી ગૃપ ઉઠાવશે.
Other News : બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કવચ સિસ્ટમ લાગુ કરવા કરી માગ