ગુરુવારે સમગ્ર રાજ્યમાંથી આવેલા અરજદારોની રજૂઆત ડી.જી.પી આશીષ ભાટિયાએ રૂબરૂ સાંભળી
ગાંધીનગર : સામાન્ય જનતાની ફરિયાદોનું અસરકારક નિરાકરણ થાય તે આશયથી ડીજીપી રાજ્ય પોલીસ વડા દ્વારા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દર મહિનાના ત્રીજા ગુરુવારે કાર્યક્રમ યોજાશે, જેમાં ડીજીપી નાગરિકોની સીધી ફરિયાદ સાંભળશે, જે અંતર્ગત ગુરુવારે કાર્યક્રમની શરૂઆત પોલીસ ભવન, ગાંધીનગર ખાતે DGP SWAGAT Plus પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.
હવેથી DGP SWAGAT Plus કાર્યક્રમનું દર મહિનાના ત્રીજા ગુરૂવારે નિયમિતપણે આયોજન કરવામાં આવશે
કાર્યક્રમના શરૂઆતમાં પ્રથમ ગુરૂવારે અરજી રજુઆતો લઈને આવેલ ૧૪ અરજદારોની અરજી પોલિસ વડાએ રૂબરૂ સાંભળી હતી અને સમયસર અને ન્યાયિક નિરાકરણ આવે તે માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પોલિસ કમિશ્નરો તથા પોલિસ અધિક્ષકોને આદેશ આપ્યો છે.
Other News : પંખા-AC ચલાવવા વીજ ચોરી કરતાં ૪૫ ઝડપાયા, તંત્રએ આણંદ જિલ્લામાં ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો