Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદથી સૌપ્રથમ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકતા વડાપ્રધાન મોદી : કોંગ્રેસથી સતર્ક રહેવા જણાવ્યું

પીએમ નરેન્દ્ર મોદી

આણંદ કોંગ્રેસના ગઢને પરાસ્ત કરવા નરેન્દ્ર મોદીની આજે જંગી સભામાં જનમેદની ઉમટી : ભલે ક્યાંય દેખાય નહિ પણ કોંગ્રેસથી સતર્ક રહેવાની જરૂર : વડાપ્રધાન મોદીનો સંદેશ

આણંદ : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે આણંદમાં પહોંચીને વડાપ્રધાન મોદી આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધિત કરી હતી. આણંદમાં વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધતા જણાવેલ કે,મારે તમને થોડા સતર્ક કરવા છે. આ વખતે કોંગ્રેસ પોતાની નવી ચાલ ચલાવી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવેલ કે, મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત વિકાસનું ઓળખ બન્યું છે. હવે વિધુત કાર ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડવાનો છે. આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે. તે દુનિયામાં તાકાત આપવાનું કામ કરનારું છે. હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ.

Advertisement

ગુજરાતમાં ભાજપના કાર્યને લઇને પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત અને ભાજપનો સંબંધ અતૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો તમારા દિલનો પ્રેમ છે, એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. ભાજપ સરકારે ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું છે.

Other News : પીએમ મોદીએ ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ ખાતે ૮૨૦૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હુત

Related posts

આણંદમાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી આ મહત્ત્વની માહિતી

Charotar Sandesh

અવિચલદાસજી મહારાજ સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ૨૧મા કૈવલ સમૂહલગ્નોત્સવ યોજાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ધીમા પગલે પ્રવેશતા કોરોનાથી ફફડાટ : આજે આણંદ-વિદ્યાનગરમાં વધુ ૩ કેસો…

Charotar Sandesh