વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ તાબાનું આફ્રિકા ખંડમાં પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર વિષે માહિતી આપતા ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડ અને સતંસંગ મહાસભાના પુરૂષાર્થની સાથે સાથે વર્તમાન ગાદીપતિ પ પૂ ધ ધૂ ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બે દેશ ગાદીના ભક્તોના સમર્પણથી આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે.
કોરોના કાળમાં પણ દાતાઓએ શ્રદ્ધા અને વિશ્વાસથી ખૂબ પૂરુષાર્થ કરીને બાંધકામ શરૂ કર્યુ છે . મંદિરનું સુપર સ્ટક્ચરનું કામ પૂર્ણ થયું છે. મંદિરમાં પાર્કીંગ – પ્રસાદરૂપ ભોજનની વ્યવસ્થા સાથે સાથે બાળ યુવા ઘડતરની વ્યવસ્થાઓ થઈ રહી છે .
આપણા સતંસંગના સંસ્કારો આપણી ભવિષ્યની પેઢીમાં ઉતરે , તેના માટે મંદિરોની મહત્વની ભૂમિકા રહી છે
કેન્યાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કે કે વરસાણી, વડતાલના પરેશ પટેલ , મહેળાવના પરેશ પટેલ તથા મિતેશ પટેલ હરિકૃષ્ણ પટેલ – કરોલી , કચ્છના કુંવરજી વરસાણી , હરજી રાઘવાણી . કીશોર રાઘવાણી , પ્રથમેશ પટેલ નાર ,ક્રાંતિભાઈ એમ્બુવાળા વગેરે સક્રિય કાર્યકર્તાઓ રાત્રી દિવસ પૂરૂષાર્થ કરી રહ્યા છે.
આ બાંધકામ માટે વડતાલ મનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી વગેરે સંત મંડળ સાથે હાલ નૈરોબીના સત્સંગ પ્રવાસે પધાર્યા છે. મંદિરની પરંપરાગત કલા કોતરણી માટે દેશથી ઓરીશીના કારીગરો પણ આ સતંસંગયાત્રામાં જોડાયા છે. સંતોની સ્વાગતસભામાં વર્ચ્યુઅલ આશીર્વાદ આપી આચાર્ય મહારાજે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આગામી ડીસેમ્બરમાં બાંધકામ પૂર્ણ થશે અને પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી ઉજવવમાં આવશે.
Other News : ઈસણાવ ગ્રામ પંચાયત તાબામાં ઠેર-ઠેર ગેરકાયદે દબાણ ! તાલુકા-જિલ્લા પંચાયતના આંખ આડા કાન