રિલીઝ થયેલી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢા ફિલ્મના પોસ્ટર પર બોયકોટ લખી વિરોધ કરવામાં આવ્યો
પંચમહાલ : બોલીવુડ અભિનેતા આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા (lal singh chaddha) નો સોશિયલ મિડીયા પર વિરોધ થઈ રહ્યો છે. જેને બાયકોટ કરવા માટે કહેવાઈ રહ્યું છે,ગુજરાતમાં પણ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે હિન્દુવાદી સંગઠનના નેતાઓ દ્વારા વિરોધ નોંધાયો હતો. જેમા કેટલાક સંગઠનના કાર્યકરો દ્વારા ગોધરા શહેરમાં આવેલા સિનેમાઘરોની બહાર ફિલ્મ લાલસિંહ ચડ્ડાના લગાવેલા પોસ્ટર પર કાળા અક્ષરે બાયકોટ (boycott) લખીને વિરોધ દર્શાવ્યો હતો. હિન્દુ દેવી દેવતાઓનુ અપમાન કરનાર અને રાષ્ટ્રવિરોધી વિચારધારા ધરાવનાર આમીરખાનનો અમે વિરોધ કરીએ છે.
ગોધરાની સિલ્વર સ્કિન મલ્ટીપ્લેક્ષની બહાર કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો. ગોધરામાં દાહોદ રોડ ખાતે આવેલ સિલ્વર સ્ક્રીન મલ્ટી પ્લેકસ સિનેમા હોલમાં આજરોજ રિલીઝ થયેલી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢા (lal singh chaddha) ફિલ્મના પોસ્ટર પર બોયકોટ લખી વિરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આમીર ખાનની નવી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢા (lal singh chaddha) વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
Other News : આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે પોસ્ટ ઓફિસે ૧૦ દિવસમાં ૧ કરોડ રાષ્ટ્ર ધ્વજ વેચ્યા