હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો ૨૦ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપશે તેવી શક્યતા
પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું નામ નક્કી કરવા રાહુલ ગાંધીના ઘેર ગુજરાતના નેતાઓના ધામા
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજ્યમાં કોંગ્રેસના કેપ્ટન નક્કી કરવાની કવાયત પણ ઝડપી બનાવી દેવાઈ છે અને આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ‘દિલ્હી દરબાર’ મતલબ કે રાહુલ ગાંધીના ઘેર ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બેઠક મળશે અને તેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા અંગે નિર્ણય લેવાઈ જશે.
પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ચાલી રહેલી વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એક વાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં કોંગ્રેસના ૨૦ જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી શકે છે. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીના કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયું છે.