Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : જ્વેલર્સનાં માલિક પાસેથી ૧૫ લાખની મતા ભરેલો થેલો લઇ ગઠિયો ફરાર…

આણંદ : બોરસદ શહેરના બળિયાદેવ મંદિર પાસે આવેલા પટેલ ચકલામાં શ્રી ગણેશ જવેલર્સના સોની સવારે ૧૧-૦૦ વાગ્યાના અરસામાં પોતાની બાઇક પર એક થેલા ૩૫૦ ગ્રામ સોનાના દાગીના તથા રોકડા એક લાખ રૂપિયા મળીને કુલ ૧૫ લાખ મતા લઇને દુકાને પહોંચ્યા હતા. ત્યારે તેઓ બાઇક પાર્ક કરી રહ્યાં હતા.તે સમયે એક બુકાનધારી ગઠિયો બાઇક નજીક જઇને તેઓનો ૧૫ લાખની મતા ભરેલો થેલો ઉઠાવીને ભાગ્યો હતો. નજીકમાં બાઇક લઇને ઉભેલા યુવકની બાઇક પર બેસીને બંને ગઠિયા રફુચકર થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આજુબાજુની દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજની ચકાસણી કરતાં એક મોઢાપર બુકાની બાંધેલા,શરીરે જેકેટ અને બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ શખ્સ ચીલઝડપ કરીને ભાગ્યો હોવાનું નજરે પડયું હતું. જેથી પોલીસે તાત્કાલિક નાકાબંધી કરાવીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

આણંદના નવીનીકરણ કરાયેલ જુના બસ મથકનું આવતીકાલે ૨૨ જૂને મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ

Charotar Sandesh

તારાપુર-વટામણ હાઈવે ઉપર પોલીસને ચેલેન્જ મારતા લુંટારુઓ : ૬ જેટલા ટ્રક ડ્રાઈવરો લુંટાયા…!

Charotar Sandesh

કોરોનાને કારણે અમૂલ બંધ રહેશે તેવા મેસેજ તમે પણ ફોર્વર્ડ ન કરતા, મેનેજીંગ ડિરેકટરે આપી સ્પષ્ટતા…

Charotar Sandesh