Charotar Sandesh
ઈન્ડિયા

ફાંસી નજીક…! નિર્ભયાના દોષિતોને તિહાર જેલ પ્રશાસને પૂછી અંતિમ ઈચ્છા…

૧ ફેબ્રુઆરીએ ચાર નરાધમોને ફાંસી આપવામાં આવશે…

નિર્ભયાના દોષીઓની ‘સુરક્ષા’ પાછળ રોજ રૂ. ૫૦,૦૦૦નો ખર્ચ કરે છે સરકાર, ફાંસીના ડરથી ચાર દોષિતો પૈકી એકે ખાવા-પીવાનું છોડી દીધું, ચારેય દોષિતો માટે ૩૨ સિક્યુરિટી ગાર્ડ તૈનાત…

ન્યુ દિલ્હી : તિહાર જેલમાં કેદ નિર્ભયાના દોષીઓની સુરક્ષા પાછળ દરરોજ સરકાર રૂ. ૫૦,૦૦૦ ખર્ચ કરી રહી છે. આ ખર્ચ એ જ દિવસથી શરૂ થઈ ગયો હતો જ્યારે કોર્ટે તેમને ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ આપ્યું હતું. જેલની બહાર તેમના માટે ૩૨ સિક્યોરિટી ગાર્ડને ખડેપગે ૨૪ કલાક તૈનાત રાખવામાં આવે છે. આ ઉપરાંત ફાંસીની વ્યવસ્થા માટે પણ ખાસ્સો ખર્ચ થઈ રહ્યો છે. સિક્યોરિટી ગાર્ડની દર બે કલાકે શિફ્ટ બદલાય છે જેથી તે જેલની બહાર ઊભા ઊભા દોષીઓ પર બાજ નજર રાખી શકે.

નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોને ફાંસીની તૈયારી શરૂ થઈ ગઈ છે. તિહાર જેડલમાં પ્રશાસને ગુનેગારોને નોટિસ જારી કરીને તેની અંતિમ ઇચ્છા વિશે પૂછ્યું છે. જેલ પ્રશાસને ગુનેગારોને અનેક સવાલ પૂછ્યા છે. જેલ મેન્યુઅલ અનુસાર, ફાંસીની સજા મેળવનાર કેદીઓને ફાંસી પહેલા તેની અંતિમ ઈચ્છા વિશે પૂછવામાં આવે છે અને તેની ઈચ્છા પૂરી કરવામાં આવે છે.

જેલના સૂત્રોના જણાવ્યા મુજબ ચારેય ખૂનીઓને તિહાર જેલ નંબર ૩માં જુદા જુદા સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીના સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત છે. તેમાંથી એક હિંદી તથા ઈંગ્લિશનું જ્ઞાન ધરાવતો તામિલનાડુ સ્પેશિયલ પોલીસનો જવાન છે અને એક તિહાર જેલ પ્રશાસનનો ગાર્ડ છે.

દર બે કલાકે આ ગાર્ડને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. દર કેદી માટે ૨૪ કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. એટલે કે ચાર કેદી માટે ૩૨ ગાર્ડ છે. તેઓ ૨૪ કલાકમાં ૪૮ શિફ્ટમાં કામ કરે છે. તેમની ફાંસીની નવી તારીખ ૧ ફેબ્રુઆરી નિશ્ચિત કરવામાં આવી છે. જલ્લાદને ૩૦ જાન્યુઆરીએ બોલાવાયો છે જેથી તે એક દિવસ પહેલા ફાંસીનું ટ્રાયલ કરી શકે. બુધવારે પવન અને વિનયે પરિવાર સાથે મુલાકાત લીધી હતી. બુધવારે પણ તેમની કાયદેસર મુલાકાત કરાવવામાં આવી હતી.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૫,૧૪૯ કેસ નોંધાયા, ૪૮૦ દર્દીનાં મોત…

Charotar Sandesh

નફરત સામે ‘વિકાસનો વિજય’ : ફિર એકબાર ‘કેજરીવાલ’ સરકાર…

Charotar Sandesh

પુત્રની કુલ આવકમાં તેના માતા-પિતા પણ હિસ્સેદાર છે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh