Charotar Sandesh
ઈન્ડિયા

સરકાર પોતાને મત નહિ આપનારાઓનું પણ ધ્યાન રાખે : પ્રણવ મુખરજી

જયપુર,
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે વિશાળ જનમતથી સત્તામાં આવનારા પક્ષે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે ચૂંટણીમાં પોતાને મત નહિ આપનારા મતદારોની સંખ્યા પણ ઘણી મોટી છે અને તેઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. પ્રણવ મુખરજીએ અહીં રાજસ્થાન વિધાનસભામાં યોજાયેલા એક પરિસંવાદમાં જણાવ્યું હતું કે લોકસભાની ઘણી ચૂંટણીમાં કેટલાક પક્ષને ભારે બહુમતી મળે છે, પરંતુ કોઇપણ પક્ષને અત્યાર સુધીમાં કુલ મતના પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કે ભાજપને લોકસભાની તાજેતરની કે અગાઉની ચૂંટણીમાં ક્યારેય દેશના કુલ મતના પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતના મતદારો શાસક પક્ષને સંદેશો આપે છે કે અમે તમને સરકાર રચવા માટે જરૂરી બેઠકો જિતાડી આપી છે, પરંતુ એ વાત નહિ ભૂલતા કે તમને પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા અને લોકશાહી ધરાવતા આ પ્રજાસત્તાક દેશમાં તમારે તમને મત નહિ આપનારા લોકોને પણ સાથે રાખીને આગળ વધવાનું છે. ભાજપને લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ૩૦૩ બેઠક મળી હતી, પરંતુ તેને કુલ મતના અંદાજે ૪૦ ટકા જ મત મળ્યા હતા. પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે ભારતની સંસદીય પદ્ધતિ ભારતીયોની મહેનત અને સંઘર્ષમાંના સફળ પ્રયાસનું પરિણામ છે.

Related posts

લિવ ઈનમાં સંમતિથી સંબંધ બનાવવા રેપ નથી : સુપ્રિમ કોર્ટે

Charotar Sandesh

કોરોના કાળમાં ટેકનોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી છે : PM મોદી

Charotar Sandesh

‘બિગ બોસ’ની ૧૩મી સિઝનનો સેટ મુંબઈમાં જ બનશે

Charotar Sandesh