Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૨૧થી વધુના થયેલા મોત

  • આગથી બચવા માટે ૩૦થી વધુ બાળકોએ છલાંગ લગાવી : મૃતકોના પરિવારને ચાર ચાર લાખ આપવાની ગુજરાત સરકારની જાહેરાત ફાયરબ્રિગેડ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી

સુરત,

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા. જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકોના મોત થઈ ગયા હતા. ૨૧ બાળકોના મોતથી ભારે હાહાકાર મચી ગયો હતો. ગુજરાત સરકાર પર અકિલા આગની આ ઘટનાથી હચમચી ઉઠી હતી. તરત જ સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે તપાસના આદેશ પણ કરવામાં આવ્યો હતો. તાજેતરના ઈતિહાસની આગની આ ઘટનાને સૌથી મોટી ઘટના જોવામાં આવે છે. દરમિયાન સુરતમાં આગની અકીલા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રાજય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર ઘટના અંગે દુઃખની લાગણી વ્યકત કરી હતી અને સમગ્ર ઘટનામાં તપાસના આદેશો આપ્યા હતા. સરકાર અને તંત્ર દ્વારા મોડેમોડેથી આ ઘટનામાં જવાબદારો અને કસૂરવારો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની હૈયાધારણ ઉચ્ચારવામાં આવી હતી. જો કે, વાલીઓમાં અને સુરતવાસીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી તો જોવા મળતી જ હતી. સરકારની સહાય કે પગલા લેવાથી જે માતા-પિતાના સંતાનો મૃત્યુ પામ્યા છે તે પાછા નહી આવે તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો હતો. રાજયપાલ ઓ.પી.કોહલીએ પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું.

બનાવની વિગત એવી છે કે, સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના ૪થા માળે આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે જબરદસ્ત ભાગદોડ, નાસભાગ અને ચીસાચીસ મચી ગઇ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ૧૯ થી વધુ લોકોના મોત નીપજયા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડના કાફલાને સફળતા મળી હતી. ચોથા માળે ટયુશન કલાસીસ પણ ચાલતા હોવાથી કેટલાક બાળકો પણ તેમાં ફસાયા હતા. જેમાં આગથી ગભરાઇ ગયેલા ત્રીસેક બાળકોએ તો છલાંગ લગાવી કૂદવાનું જોખમ લીધુ હતુ, તેના કારણે કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા હતા.  ફાયરબ્રિગેડની ૧૭થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રાહત અને બચાવનું સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું.

Related posts

મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદિક-હોમિયોપેથીમાં પ્રવેશ પ્રક્રિયા ૨જી નવેમ્બરથી થશે શરૂ…

Charotar Sandesh

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયા સુરતમાં : ટોચના ઉદ્યોગપતિ મહેશ સવાણી AAPમાં જોડાયા…

Charotar Sandesh

ગુજરાતમાં આફતનો વરસાદ : બીજા રાઉન્ડમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી સૌથી મોટી આગાહી

Charotar Sandesh