Charotar Sandesh
ઈન્ડિયા

૧૫ ઓગસ્ટને લઈ દેશનાં તમામ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો…

એરપોર્ટમાં પ્રવેશતા તમામ વાહનોની કડક તપાસ : મુલાકાતીઓ માટે પ્રવેશબંધી…

ન્યુ દિલ્હી,
ભારતનાં તમામ એરપોટ્‌ર્સની સુરક્ષાની જવાબદારી સંભાળતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા દેશનાં મોટા મહાનગરોના એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર જતા તમામ વાહનોની એક કિમી દૂરથી તપાસ કરવાની રહેશે. સંપૂર્ણ ચકાસણી પછી જ વાહનને એરપોર્ટમાં પ્રવેશ આપવાનો રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પણ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના આદેશ અપાયા છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આવતા ઓછામાં ઓછા ૧૦ ટકા વાહનોની રેન્ડમલી ૩૧ ઓગસ્ટ સુધી ગહન સુરક્ષા કરવાની રહેશે. આ ઉપરાંત મુંબઈ પોલીસને અહીં ૨૪ઠ૭ કલાક પુરતી પોલીસ વ્યવસ્થા અને જરૂરી ઉપકરણો લગાવવાના પણ આદેશ અપાયા છે.
આગામી ૧૦ ઓગસ્ટથી દેશના તમામ મોટા એરપોર્ટ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર કાયદેસરની ટિકિટ ધરાવતા પ્રવાસીને જ એરપોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે અને તેની સાથેના સામાનની પણ પૂર્ણ તપાસ કરવામાં આવશે. મુલાકાતીઓના પ્રવેશનો આ પ્રતિબંધ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ ગયા પછી એક સપ્તાહ સુધી લાગુ રહેશે.

Related posts

દેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત…

Charotar Sandesh

૨૦૨૨માં પાંચ રાજ્યમાં સમયસર ચૂંટણી યોજીશું : ચૂંટણીપંચ

Charotar Sandesh

કોરોના કહેર, ૩.૪૬ લાખ નવા કેસ અને ૨૬૦૦ મોત સાથે વધુ એક રેકોર્ડ…

Charotar Sandesh