મુંબઈ,
ફિલ્મ કબીર સિંહની સક્સેસ પછી સાતમાં આસમાન પર પહોંચી ચૂકેલ શાહિદ કપૂર આ દિવસોમાં ભારત બહાર પોતાનો સમય પસાર કરી રહ્યો છે. એવામાં એમના ખાસ દોસ્ત અને આગલી ફિલ્મનાં નિર્દેશક રાજ કૃષ્ણ મેનનનું એક નિવેદન સામે આવ્યું છે.
૨૦૧૮માં શાહિદ કપૂરે એક બાયોપિક કરવાનો પ્લાન કર્યો હતો. આ બાયોપિક ભારતનાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર ડિંગ્કો સિંહના જીવન પર હતી. પરંતુ જો મેનની વાત માનીએ તો હવે એ થવું મુશ્કેલ છે. રાજ કૃષ્ણ મેનન કહે છે કે, મે અને શાહિદે આ ફિલ્મને લઈ ગયા મહિનાઓમાં જ વાત કરી હતી. તે આ ફિલ્મને કરવા માટે ખુબ ઉત્સાહિત હતો.
આગળ મેનન કહે છે કે, વાત એમ છે કે કહાનીનો રાઈટ લઈને અમે બંન્ને પોત પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં. આ માટે અમને ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરવાનો મોકો ન મળ્યો. તેમજ કબીર સિંહની આટલી સક્સેસ બાદ હવે બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. માટે હવે શાહિદ આ ફિલ્મ કરવા બાબતે ઘણો સમય લગાડી રહ્યો છે.