Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઓટો

તમારા ઘરમાં આવી રહેલી ઈલેક્ટ્રિસિટી વિશે તમે કેટલુ જાણો છો…?

આપણા ઘરમાં જો કોઈ કારણસર થોડીવાર માટે પણ વીજળી ચાલી જાય તો આપણે બૂમાબૂમ કરી મૂકીએ છીએ. આપણને થોડાક સમય માટે પણ લાઈટ-પંખા કે વીજળીથી ચાલતા અન્ય ઉપકરણો વિના નથી ચાલતું. પણ આપણી જીવનશૈલીનો અવિભાજય અંગ બની ચૂકેલી વીજળી વિશે આપણે કેટલું જાણીએ છીએ? જો તમને તેના વિશે ઝાઝી જાણકારી ન હોય તો તજજ્ઞોએ આપેલી આ માહિતી પર એક નજર નાખો.

નિષ્ણાતો કહે છે કે આપણા સ્વીચ બોર્ડમાં રેડ, યેલો, બ્લુ, બ્લેક અને ગ્રીન જેવા અલગ અલગ કલરના વાયર હોય છે. પણ પ્રત્યેક કલરનાં વાયર ચોક્કસ કાર્ય માટે હોય છે. જેમ કે રેડ, બ્લ્યૂ, યેલો એટલે ફેઝ વાયર, બ્લેક એટલે ન્યૂટ્રલ વાયર અને ગ્રીન એટલે અર્થિંગ વાયર. તજજ્ઞો અર્થિંગનો અર્થ સમજાવતાં કહે છે કે જયારે ઈલેક્ટ્રિક સિસ્ટમમાંથી ખામીયુક્ત પ્રવાહ ગળવા લાગે ત્યારે આ વાયરનાં માધ્યમથી તેને જમીનમાં લઈ જવો જરૂરી બની જાય છે. જો તમારા સ્વીચ બોર્ડમાં અર્થિંગ વાયર જોડાયેલું ન હોય અને વીજ પ્રવાહ ગળતો હોય એ વખતે કોઈ વિદ્યુત ઉપકરણને તમે સ્પર્શ કરશો તો તમને વીજળીનો ‘શોક’ લાગે છે. જે અત્યંત જોખમી હોય છે. તેથી અર્થિંગ માત્ર અત્યાવશ્યક નહીં, પણ ફરજિયાત ગણાય છે. વિદ્યુત ઉપકરણો સાથે સ્ટે‍બિલાઈઝર પણ જરૂરી હોય છે. તેનું કારણ એ છે કે આ ઉપકરણો ચોક્કસ વોલ્ટેજ પર ચાલતા હોય છે, પરંતુ જો વોલ્ટેજ ફ્લક્ચ્યૂએટ થાય, એટલે કે અચાનક વધી અથવા ઘટી જાય તો આ ઉપકરણોને હાની પહોંચે છે. પરંતુ સ્ટેબિલાઈઝર સંબંધિત ઉપકરણમાં વિદ્યુતનાં ચોક્કસ વોલ્ટેજને જાળવી રાખે છે. જો કે આજે બજારમાં નવા આવતા વીજળી ઉપકરણોમાં ઈનબિલ્ટ સ્ટેબિલાઈઝર હોય છે.

આપને જણાવી દઇએ કે, એરકંડિશન, ગીઝર, વોશિંગ મશીન, વોટર પમ્પ , ઈસ્ત્રી અને વોટર હીટર જેવા એપ્લાયન્સીસને પુષ્કળ વીજળી જોઈએ છે. આપણા એપ્લાણયન્સીસને સ્વીચ ઓફ કર્યા વિના વીજળીની બચત કરવાનો રસ્તો બતાવતાં નિષ્ણાતો કહે છે કે, વિદ્યુતથી ચાલતું ઉપકરણ પોતાની મેળે બંધ કે ચાલુ થાય એટલા માટે પ્રિસેટ ટાઈમર લગાવો. જેમ કે એરકંડિશનરમાં એક, બે કે ત્રણ કલાકનો ટાઈમ સેટ કરી દેવામાં આવે તો તેટલા સમયમાં એ.સી. આપોઆપ બંધ થઈ જાય છે. પણ ઓરડો એકદમ ઠંડો થઈ ગયો હોવાથી એ.સી. ઓટોમેટિકલી બંધ થઈ જવા છતાં લાંબા સમય સુધી ગરમી થતી નથી. પેસેજ કે સોસાયટીનાં પગથિયાની લાઈટ ચાલુ/બંધ કરવા અગાઉથી સમય સેટ કરી રાખો.

Related posts

તપતી ગર્મીમાં ઘરથી બહાર નિકળી રહ્યા છો, તો રાખો આ 10 સાવધાનીઓ…

Charotar Sandesh

લોકડાઉને ઓટો ઇન્ડસ્ટ્રીની કમર તોડી, એપ્રિલમાં મોટાભાગની કંપનીઓએ એકપણ કાર વેચી નથી…

Charotar Sandesh

રામબાણ ઈલાજ : કાળા જાંબૂના બીથી દૂર થશે ડાયાબિટીસ સહિતની આ બીમારીઓ…

Charotar Sandesh