Charotar Sandesh
ટ્રેન્ડીંગ બોલિવૂડ

રણબીર-આલિયા ૨૨ જાન્યુઆરીએ પરણી જશે..?!!

મુંબઈ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે જ્યારથી જાહેરમાં એકબીજાને પ્રેમનો એકરાર કર્યો ત્યારથી જ તેના લગ્નની વાતો ખુબ ઉડવા લાગી. આ વચ્ચે એક એવી ખબર આવી હતી કે જ્યારે ૨૦૨૦માં ઋષી કપૂર આવી જશે પછી લગ્ન કરશે. એવામાં હવે તો ઋષી કપૂર પણ આવી ગયા છે. આ સાથે જ એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે કે રણબીર અને આલિયા ૨૨ જાન્યુઆરી ૨૦૨૦માં લગ્ન કરશે.
આ વિશે જ્યારે આલિયાને પુછવામાં આવ્યું તો તેનું રિએક્શન કંઈક અલગ જ હતું. આલિયા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને ત્યારે એક રિપોર્ટરે તેને આ વાયરલ ખબર વિશે પુછ્યું હતું. રિપોર્ટરે આલિયાને પુછ્યું કે મેમ એક ખબર મળી છે તે શું કન્ફોર્મ છે? ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પાક્કું જ છે? તો આલિયાએ હસતાં હસતાં કહ્યું કે હું શું કહું? આલિયાએ આ રીતે હસીને વાત ફંગોળી દીધી પરંતુ એની સ્માઈલ ઘણું બધું કહી ગઈ. હવે સોશિયલ મીડિયામાં આ ખબર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર આલિયા અને રણબીરના લગ્નનું એક કાર્ડ પણ ફરતું થઈ ગયું છે. આ કાર્ડમાં પણ આ જ વાત છાપવામાં આવી છે કે ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે જોધપુરમાં આવેલ ઉમ્મેદ ભવન પેલેસમાં રણબીર આલિયાના લગ્ન થવાના છે. પરંતુ આ કાર્ડ તો ફેક છે એવા સમાચાર મળ્યા છે. કારણ કે કાર્ડમાં ગ્રામર અને સ્પેલિંગની ખુબ ભૂલ છે.

Related posts

આકરી ગરમીમાં ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝરની બોટલમાં બ્લાસ્ટ થઈ શકે…? જાણો…

Charotar Sandesh

હોટ એક્ટ્રેસ સોફિયા વેરગારા ૪૩ મિલિયન ડૉલરની કમાણી સાતે ફોર્બ્સ યાદીમાં ટૉપ પર…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં જે થયું તેવું તો ફિલ્મોમાં પણ નથી થતુંઃ અર્જુન રામપાલ

Charotar Sandesh