Charotar Sandesh
સ્પોર્ટ્સ

અનિલ કુંબલે શ્રેષ્ઠ કોચ, પણ કોહલીને ખટકતા હતા : વિનોદ રાય

વિનોદ રાયે આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનિલ કુંબલે શ્રેષ્ઠ કોચ હતા અને જો તેમના કરારમાં મુદત વધારવાનો નિયમ હોત તો તે વધારવામાં આવતો. વિનોદ રાયે કહ્યું કે ‘અનિલ કુંબલે તે સમયે સર્વશ્રેષ્ઠ કોચ હતા. તેમના કરારમાં મુદત વધારવાનો નિયમ હોત તો એવું જ કરતા. હું અનિલ કુંબલેને ખૂબ માન આપું છું.
વિનોદ રાયે વધુમાં જણાવ્યું હતું કે, અનિલ કુંબલેના મુદ્દે તેણે વિરાટ કોહલી સાુથે મોબાઇલ પર વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બર્મિંગહામમાં સચિન અને સૌરવ ગાંગુલીને મળ્યો હતો. આ મુદ્દે મેં તેની સાથે લાંબી ચર્ચા કરી. આ બંનેએ અનિલ કુંબલે અને વિરાટ કોહલી સાથે વાત કરી. મેં સચિનને કહ્યું હતું કે તે?વિરાટ સાથે વાત કરી લે. હું વિરાટને જાણતો ન હતો, પરંતુ તેમની સાથે વાત કર્યા પછી મને લાગ્યું કે વિરાટ કોહલી અનિલ કુંબલેને કોચ તરીકે રાખવા માટે જરાય રાજી નહોતો.
વિનોદ રાયે વાત કરતાં કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે જો હું સૌરવ ગાંગુલી અને સચિન જેવા મોટા ખેલાડી વિરાટ કોહલી સાથે વાત કરશે તો કંઈક નવું થશે. પરંતુ હાલમાં જ ગાંગુલીએ મને જણાવ્યું કે તેમણે વિરાટ કોહલી સાથે વાત કરી હતી. હવે તમે જ કહો કે જો વિરાટને સચિન અને ગાંગુલી જેવા મહાન ખેલાડી મનાવી ન શકે તો હું કેમ મનાવી શકત?

Related posts

મેરિકોમ ઇન્ડયા ઓપનમાં ૫૧ કિલોની કેટેગરીમાં રમશે

Charotar Sandesh

સાનિયા મિર્ઝા ભારતની ફેડરેશન કપની ટીમમાં ચાર વર્ષે પાછી ફરી

Charotar Sandesh

જો તમે બાઉન્સર ન રમી શકતા હો તો તમે કન્કશન સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ નથી કરતાઃ ગાવસ્કર

Charotar Sandesh