Charotar Sandesh
ચરોતર

અમરનાથ યાત્રા માટે વડોદરાના ૧૦ હજારથી વધુ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ

વડોદરા,
૧લી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે, ત્યારે વડોદરામાંથી ૧૦ હજારથી વધુ યાત્રાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી દિધું છે. ગુજરાત ઉપરાંત દેશભરમાંથી અમરનાથ યાત્રા માટે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે ચાલુ વર્ષે દરેક યાત્રાળુઓની બસને જીપીએસ ટેગીંગ કરવામાં આવશે. જેના પગલે યાત્રા વખતે જમ્મુ-કાશ્મીરના કોઈ સંવેદનશીલ વિસ્તારોમાં અથવા અન્ય કોઈ સ્થળે બસ ફસાઈ હશે તો તેનું લોકેશન સુરક્ષા દળોને મળતા મદદ પહોચાડી શકાશે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૮માં અમરનાથ યાત્રામાં વલસાડની બસ પર જમ્મુ-કાશ્મીરમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

પહેલ ગામના ચંદનવાડી ખાતે છેલ્લા ૨૨ વર્ષથી ભંડારો ચલાવતા મિલિન્દ વૈધે વધુમાં જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રાનું આયોજન કરતી શ્રી શ્રાઈન બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી યાત્રાળુઓને બેંક ઓફ જમ્મુ-કાશ્મીર અથવા શ્રાઈન બોર્ડની ઓફિસમાં જઈ બુકીંગ કરાવવું પડતું હતું. ઓનલાઈન બુકીંગની વ્યવસ્થાથી હવે ઘર બેઠા યાત્રાળુઓ બુકીંગ કરી શકશે.

Related posts

આણંદ : કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા પાંચ દર્દીઓને જનરલ હોસ્પિટલમાંથી રજા અપાઈ…

Charotar Sandesh

સાવધાન : આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલ પરિવારના ઘરમાંથી ૩.૭૬ લાખની ચોરી થતા ચકચાર

Charotar Sandesh

નવરાત્રિ મેળાનો શુભારંભ- નડિયાદમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળો દ્વારા બનાવેલ વિવધ વસ્તુઓનાં વેચાણ માટે નવરાત્રિ મેળો શરૂ

Charotar Sandesh