Charotar Sandesh
બોલિવૂડ

ડાયરેક્ટરનો ઘટસ્ફોટ : ‘કબીર સિંહ’ બાદ શાહિદ કપૂરનાં તેવર બદલાયા…

મુંબઈ,
ફિલ્મ કબીર સિંહની સક્સેસ પછી સાતમાં આસમાન પર પહોંચી ચૂકેલ શાહિદ કપૂર આ દિવસોમાં ભારત બહાર પોતાનો સમય પસાર કરી રહ્યો છે. એવામાં એમના ખાસ દોસ્ત અને આગલી ફિલ્મનાં નિર્દેશક રાજ કૃષ્ણ મેનનનું એક નિવેદન સામે આવ્યું છે.
૨૦૧૮માં શાહિદ કપૂરે એક બાયોપિક કરવાનો પ્લાન કર્યો હતો. આ બાયોપિક ભારતનાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર ડિંગ્કો સિંહના જીવન પર હતી. પરંતુ જો મેનની વાત માનીએ તો હવે એ થવું મુશ્કેલ છે. રાજ કૃષ્ણ મેનન કહે છે કે, મે અને શાહિદે આ ફિલ્મને લઈ ગયા મહિનાઓમાં જ વાત કરી હતી. તે આ ફિલ્મને કરવા માટે ખુબ ઉત્સાહિત હતો.
આગળ મેનન કહે છે કે, વાત એમ છે કે કહાનીનો રાઈટ લઈને અમે બંન્ને પોત પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં. આ માટે અમને ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરવાનો મોકો ન મળ્યો. તેમજ કબીર સિંહની આટલી સક્સેસ બાદ હવે બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. માટે હવે શાહિદ આ ફિલ્મ કરવા બાબતે ઘણો સમય લગાડી રહ્યો છે.

Related posts

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ…

Charotar Sandesh

વરુણ ધવન-નતાશા દલાલની પ્રી વેડિંગ સેરેમની મુંબઈમાં, ‘મેન્શન હાઉસ’ રિસોર્ટમાં ફેરા…

Charotar Sandesh

દીપિકા પદુકોણ ઇન્ટરનેશનલ શૂઝ બ્રાન્ડેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર

Charotar Sandesh