Charotar Sandesh
બોલિવૂડ

દરેક ફિલ્મની રિલીઝ પહેલાં હું અનાયાસે ધાર્મિક જગ્યાએ જઉં છું : આયુષ્યમાન ખુરાના

મુંબઇ : આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘બાલા’ ૮ નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે આયુષ્માન વિવિધ જગ્યાઓ પર ફરી રહ્યો છે. તેણે બનારસ જઈને પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. પોતાના સોશિયલ મીડિયા પર તેણે ફોટો પણ શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘મારી ફિલ્મોની રિલીઝ પહેલાં હું એવી જગ્યાઓ પર હોવ છું જ્યાં સ્ટ્રોંગ એનર્જી હોય છે. હું આ બધું પ્લાન પણ નથી કરતો. અંધાધુન અને બધાઈ હોની રિલીઝ પહેલાં હું વૈષ્ણોદેવીમાં હતો. ડ્રીમગર્લ દરમ્યાન હું લાલબાગમાં હતો. અને હવે બાલાની રિલીઝ પહેલાં હું બનારસના ઘાટ પર છું. આભાર યુનિવર્સ દરેક પોઝિટિવ એનર્જીને મારી તરફ વાળવા બદલ.’
આયુષ્માન બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સને પણ મળ્યો હતો. ફાઈન આર્ટસના સ્ટુડન્ટ્‌સે ‘બાલા’ ફિલ્મના આયુષ્માનના કેરેક્ટરના સ્કેચ તૈયાર કર્યા હતા.
‘બાલા’ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદોથી ઘેરાયેલ છે. કમલ કાંત ચંદ્રાએ મેકર્સ પર સ્ટોરી ચોરીનો આરોપ લગાવ્યો છે.

Related posts

ડ્રગ્સ કેસમાં દીપિકા, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને એનસીબીએ પાઠવ્યા સમન્સ

Charotar Sandesh

અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh

શ્રુતિના બોયફ્રેન્ડે ઈમોશનલ પોસ્ટ લખીને કર્યું બ્રેકઅપ

Charotar Sandesh