Charotar Sandesh
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દવા લીધા વિના માથાનો દુખાવો 2 મીનીટમાં સારો કરી દેશે, જાણો, શું છે રામબાણ ઇલાજ…

  • આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં અને કામકાજના બોજથી દરેક માણસ માનસિક તણાવમાં રહે છે. અને માનસિક તણાવ માં રહેવા ના કારણે માથાના દુખાવા જેવી સમસ્યા રહે છે

માથાનો દુખાવો ખૂબ પીડાદાયક હોય છે. તણાવને લીધે અથવા અન્ય કોઈ કારણસર લોકોને માથાનો દુખાવો થાય છે. જ્યારે માથું દુખે છે, તે સમયે તે સારું લાગતું નથી. માથાનો દુખાવા થી છુટકારો મેળવવા માટે આપણે ઘણી દવાઓ લઈએ છીએ અને ધીમે ધીમે આપણે તેનો ઉપયોગ કરવા લાગીએ છીએ.

જો તમને દવાઓની આદત પડી જાય, તો તમે દવા લીધા વિના માથાના દુખાવાથી ક્યારેય છુટકારો મેળવી શકશો નહીં, અને જો તમને ટેવ પડી જાય તો તે છોડવું ખૂબ જ મુશ્કેલ છે. દવાઓના સેવનને કારણે, અન્ય રોગો અને વજનમાં પણ ઘણો વધારો થાય છે. આજે, અમે તમને ઘર બેઠા ઘરેલું ઉપચાર વિશે કહીશું જે તમને માથાના દુખાવા માં આરામદાયક આરામ આપશે, તે પણ કોઈ વધારે અને કઠીન મહેનત વગર.

  • નુસખા બનાવવા ની રીત…

ઘરેલું નુસખા બનાવવો ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ એક ચમચી અજમા લઈ તેને તવા પર હલકા ફૂલકા શેકી લેવા અને પછી એક મુલાયમ કાપડમાં કાઢી લેવા. ત્યાર બાદ તેની એક પોટલી બાંધી લેવી. એ બાંધેલી પોટલીમાં અજમા થોડા થોડા ગરમ હોવા જોઈએ. આ છે ઘરેલું નુસખો.પછી જયારે પણ માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે આવી રીતે અજમાની પોટલી બનાવીને સુંઘવી જોઈએ.

આ અજમા ની પોટલી ત્યાં સુધી સુંઘવી જ્યાં સુધી આ પોટલી ઠંડી ના પડી જાય.આ ઉપાયને કરવાથી માથા નો દુખાવો 2 મિનીટ માં જ પૂરો થઈ જશે. આ એક અજમાવેલો ઘરેલું નુસખો છે. માથાના દુખાવા થી પરેશાન લોકો આ નુસખાનો ઉપયોગ  એક વાર જરૂરથી કરવો જોઈએ. જેનાથી માથાનો દુખાવો ક્યારેય થશે નહી અને એકદમ દુર થઇ જશે.

Related posts

ઉની ઉની લૂં આપતો ઉનાળો…

Charotar Sandesh

લાંબુ જીવવું છે?.. ‘બેસવાનુ છોડી’ ને રોજ ૩૦ મીનીટ માટે કોઈ પણ પ્રકારનું હલનચલન કરો

Charotar Sandesh

આજે આપણે ભારતીય પરંપરામાં જે સૌથી વધુ વપરાતી વનસ્પતિ છે તેના મહત્વ વિષે જાણીશું

Charotar Sandesh