લોક જનશક્ત પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યુ કે, દેશને સિંહની સરકારની જરૂર છે. નહીં કે ઉંદરની સરકાર. દેશમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન પીએમ મોદીની આંધી શરૂ થઈ છે. અને દેશમાં ફરીવાર એનડીએના તોફાનમાં વિપક્ષની હાર થવાની છે.
તેમણે કે, દેશમાં મહાગઠબંધનની કોઈ લહેર નથી. જેથી દેશમાં ફરીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. રામ વિલાસ પાસવાને એવો પણ દાવો કર્યો કે, ૨૦૧૪ની ચૂંટણી કરતા એનડીએને વધુ બેઠક મળવાની છે. મહત્વપૂર્ણ છે કે, બિહારમાં રામ વિલાસ પાસવાન એનડીએ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જેથી એલજેપીને છ બેઠક ફાળવવામાં આવી છે.