મુંબઈ : અજય દેવગણના કરિયરની ૧૦૦મી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ની ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. રિલીઝના છ દિવસ બાદ ફિલ્મે આટલું કલેક્શન કર્યું છે. તેની સામે ‘છપાક’ ફિલ્મનું એવરેજ પ્રદર્શન રહ્યું છે. ‘તાન્હાજી’ ફિલ્મે શુક્રવારે ઓપનિંગ કલેક્શન ૧૫.૧૦ કરોડ રૂપિયાનું અને વીકેન્ડ પર ૨૦.૫૭ કરોડ અને ૨૬.૨૬ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને શરૂઆતના દિવસોમાં જ ૬૧.૭૫ કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું હતું.
જ્યારે ચોથા દિવસે સોમવારે ફિલ્મે ૧૩.૭૫ કરોડ રૂપિયા અને મંગળવારે ૧૫.૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. એટલે પાંચ દિવસને અંતે ફિલ્મે ૯૦.૯૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે ‘છપાક’ ફિલ્મનું પાંચ દિવસને અંતે કલેક્શન ૨૩.૯૨ કરોડ રૂપિયા હતું.
‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે. શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે.