Charotar Sandesh
ચરોતર

આસોદર ચોકડી પાસે રોજગારી ગુમાવનાર વેપારીઓની મુલાકાત લેતા ધારાસભ્ય અમિત ચાવડા

ધારાસભ્ય અમિત ચાવડાએ રોજગારી ગુમાવનાર નાના વેપારીઓને મળી સરકારને કડક રજુઆત કરવાની બાંહેધરી આપી…

આંકલાવ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજે ગુજરાત ભાજપ શાસિત સરકારની ઉદાસીનતાનો ભોગ બનેલા વાસદ-બગોદરા હાઇવે પ્રોજેકટમાં આંકલાવ તાલુકાનું રોજગારીનું હબ ગણાતા આસોદર ખાતે બોક્સ ટાઈપ બ્રિજના બદલે કોલમ વાળા બ્રિજની માંગણી કરવામાં આવી.
જેને લઈ નાના તેમજ મધ્યમ વર્ગના લોકોની રોજગારી યથાવત રહે તે માટે આજરોજ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે લઈ રોજગારી ગુમાવનાર નાના વેપારીઓને મળી એમની માગણીઓને અનુરૂપ થાય એવી સરકારને કડક રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.

Related posts

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ

Charotar Sandesh

૫૦ હજારની લાંચ લેતા વચેટિયો ટીઆરબી જવાન ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર…

Charotar Sandesh

અમુલના કરોડો રૂપિયાના ચીઝ કૌભાંડ મામલે વાઈસ ચેરમેન સહિત છ સભ્યોએ કાર્યવાહીની માંગ કર્યા બાદ ચૂપકીદી કેમ..?

Charotar Sandesh