Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૫૧ સાંસદોની પણ વાત ન માની : મારો વિકલ્પ શોધી જ લો…

બિન ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,
લાંબા સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા ચર્ચાઓની વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ જવાબદારી નહીં સંભાળે. યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કોંગ્રેસના ૫૧ સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે વિનંતી કરી. સૂત્રો મુજબ, રાહુલે આવું કરવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને સ્પષ્ટ કહી દીધું છે કે હવે તેઓ કોંગ્રેસઆ અધ્યક્ષ તરીકે નથી રહેવા માંગતા. પાર્ટીને તેમનું રિપ્લેસમેન્ટ ટૂંક સમયમાં શોધવું પડશે.

મૂળે, રાહુલ ગાંધીએ નવા અધ્યક્ષ શોધવા માટે કોંગ્રેસને એક મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન તેઓ અધ્યક્ષ તરીકે રહેશે. આ એક મહિનાની અવધિ થોડા દિવસમાં જ પૂરી થઈ જશે. કોંગ્રેસે નવા અધ્યક્ષ માટે અનેક નામો પર વિચાર કર્યો, પરંતુ કોઈ નામ ફાઇનલ નથી થઈ રહ્યું. સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી નથી ઈચ્છતા કે રાહુલ ગાંધી પાર્ટીનું અધ્યક્ષ પદ છોડે, જેથી પાર્ટીના સીનિયર નેતા સતત રાહુલને સમજાવવાનો પ્રયાસમાં છે, પરંતુ રાહુલ ગાંધી પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર મળતા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માટે અડગ રહ્યા છે. આની પહેલાં પણ કોંગ્રેસની બેઠકોમાં તેઓ રાજીનામાંની વાત કરી ચૂકયા છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ પદ છોડવાની વાત કરી હતી. જેને કાર્યસમિતિએ નકારી દીધી હતી. આ બેઠકમાં રાહુલ પોતાની વાત પર અડગ રહ્યા હતા. બાદમાં કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે તમારો વિકલ્પ નથી.

કાર્યસમિતિના સભ્યો એ રાહુલ ગાંધીને કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂર છે, આ દ્રષ્ટિથી તેઓ પાર્ટી અધ્યક્ષના પદ પર બની રહે. આ બેઠકમાં રાહુલે કહ્યું કે તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીના નામનો પણ પ્રસ્તાવ કરવામાં ના આવે. સાથો સાથ કોઇ બિન કોંગ્રેસીને પાર્ટી અધ્યક્ષ બનાવામાં આવે. પરંતુ કાર્યસમિતિએ રાહુલની વાત માની નહી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ કહ્યું રાહુલ ગાંધીને હવે એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ પાર્ટીમાં પોતાની પ્રમાણે જેવી રીતે ઇચ્છે તેવા સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે.

Related posts

‘અબી આણિ સીડી’માં અમિતાભ બચ્ચન પોતાનું જ પાત્ર ભજવશે

Charotar Sandesh

તમિલનાડુમાં હાઈએલર્ટ : ૬ આતંકીઓ શ્રીલંકાના માર્ગેથી ઘૂસ્યા હોવાની આશંકા…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં અમે મોકલેલી ૫૬ ટકા વેક્સિનનો ઉપયોગ કરાયો નથી : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

Charotar Sandesh