માણસામાં પુરુષોત્તમ રૂપાલાની એક જનસભા હતી. તે વખતે માણસામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. માણસા કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો આજે રૂપાલી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપામાં જાડાયા હતા. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પીયુષ રાઠોડ પણ કોંગ્રેસનો પંજા છોડી ભાજપામાં જાડાયા હતા. માણસાના પૂર્વ શહેર પ્રમુખ અને કાઉÂન્સલરો ભાજપમાં જાડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તેઓએ આજે સ્ટેજ પરથી જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે, જેના કારણે અમે કોંગ્રેસ છોડી ભાજપમાં જાડાયા છે.
બીજી બાજુ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ ભાજપને લઇને એક નિવેદન આપ્યું છે. તેમને કÌšં કે, હાલ ભાજપ માણસામાં જેટલુ મોટું ચિત્ર બનાવી રહી છે તેવું નથી. અમારા કેટલાંક લોકો ભાજપામાં ગયા તેનાથી કોંગ્રેસ પાર્ટીને કોઇ ફરક પડતો નથી. હાલ ભાજપ કેટલાક લોકોને પોતાના તરફ કરી ચૂંટણી જીતવા પ્રયાસના નિરર્થક પ્રયાસ કરી રહી છે. અમારામાંથી જે ધારાસભ્યો કે મંત્રીઓ પાર્ટી છોડીને ગયા છે, જે લોકો ગયા તેની Âસ્થતિ સૌ જાણે છે.