Charotar Sandesh
સ્પોર્ટ્સ

પિચનો મિજાજ સારો હશે તો ભારત આક્રમક એપ્રોચથી રમશે : રોહિત શર્મા

રાજકોટ : બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની પિચ હંમેશા બેટિંગ ફ્રેન્ડલી રહી છે. તેમજ બોલર્સને પણ થોડી ઘણી મદદ કરે છે. દિલ્હી ખાતે ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ધીમી શરૂઆત (૬ ઓવરમાં ૩૫ રન) અંગે રોહિતે કહ્યું કે, તે શરુઆતને બેટ્‌સમેનની માનસિકતા કરતા વધારે પિચ સાથે લેવા દેવા હતા. રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું.
મહેમાન ટીમે ગઈ મેચમાં સારી બેટિંગ કરી હતી. દબાણમાં તેમણે સારી રમત દાખવી હતી. અમે દરેક ડિપાર્ટમેન્ટમાં નબળા પૂરવાર થયા હતા. અમારી ટીમ યુવા છે અને સમય સાથે તેઓ પોતાની રમતમાં સુધારો કરતી રહેશે. સારી ટીમ એ છે જે પોતાની ભૂલો રિપીટ ન કરે.

Related posts

સોશિયલ મીડિયા પર શિખર ધવને પુજારાની મજાત કરી ટ્રોલ કર્યો…

Charotar Sandesh

રવિ શાસ્ત્રી બોલિવૂડની બિન્દાસ ગર્લ અમૃતા સિંઘને કરતા હતા પ્રેમ..?

Charotar Sandesh

અન્ડર ૧૯ એશિયા કપ : શનિવારે ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ટકરાશે…

Charotar Sandesh