કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને જણાવ્યુ કે, દેશમાં ભયંકર મંદી અંગે મોદી સરકારનું મૌન ખતરનાક છે. દેશમાં મંદીની સ્થિતિ માટે કોણ જવાબદાર છે. દેશમાં અનેક કંપનીઓનું કામ બંધ થયુ છે. લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.
દેશમાં મંદીના માહોલ વચ્ચે મોદી સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. જેથી આ મામલે પીએમ મોદી અને નાણા પ્રધાને નિવેદન આપવુ જોઈએ. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને બેરોજગારી મુદ્દે ઘેરી હતી. ત્યારે ફરીવાર મોદી સરકાર પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નિશાને આવી છે.