ફિલ્મે અત્યાર સુધી ૧૮૩ કરોડની કમાણી કરી…
મુંબઇ : અજય દેવગણની ૧૦૦મી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ને મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ટેક્સ ફ્રી કરી દીધી છે. રાજ્યના મંત્રીમંડળની બેઠકે ફિલ્મ રિલીઝના બે અઠવાડિયાં પછી તેને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. આની પહેલાં આ ફિલ્મ ઉત્તર પ્રદેશ અને હરિયાણા પણ ટેક્સ ફ્રી જાહેર કરાઈ છે.
કમાણી વાત કરીએ તો આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં ક્યારની સામેલ થઇ ગઈ છે. આ ફિલ્મે અત્યાર સુધી ૧૮૩.૩૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. વધતી જતી કમાણીને જોઈને એવું લાગી રહ્યું છે કે,આ ફિલ્મ ૨૦૦ કરોડનો આંકડો પણ વટાવી શકે છે.
‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે. શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે.