Charotar Sandesh
ગુજરાત રાજકારણ

રાહુલ ગાંધી ૧૮ અને ૧૯ એપ્રિલે ગુજરાત પ્રવાસે, ત્રણ સભા સંબોધશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. તેઓ આગામી ૧૮ અને ૧૯ એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે અને ચૂંટણી પ્રચાર કરશે. આ બે દિવસ દરમિયાન તેઓ જૂનાગઢ, કચ્છ અને બારડોલીમાં સભા સંબોધશે. જ્યારે સુરતમાં રાત્રી રોકાણ પણ કરશે.
રાહુલ ગાંધી ૧૮મી એપ્રિલે બપોરે ૩.૩૦ કલાકે બરેલીથી સીધા કેશોદ આવશે. તેઓ ૪ વાગ્યે કેશોદથી વંથલી સભાસ્થળે પહોંચશે. ૪થી ૫ કલાક દરમિયાન તેઓ વંથલીમાં જાહેરસભામાં હાજર રહેશે. વંથલીમાં તેઓ પોરબંદર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધશે.
વંથલીમાં જાહેરસભા બાદ રાહુલ ગાંધી ૫.૨૫ કલાકે કેશોદ પહોંચશે. જ્યાંથી ૫.૩૦ કલાકે સ્પેશિયલ ફ્લાઇટ મારફતે ભૂજ જવા રવાના થશે. જ્યારે તેઓ ૬.૧૫ કલાકે ભૂજ ખાતે જાહેરસભામાં પહોંચશે. જે બાદ તેઓ ૭.૩૦ કલાકે ભૂજથી સુરત જવા રવાના થશે.
રાહુલ ગાંધી ૧૮મી એપ્રિલે સુરત ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે એટલે કે ૧૯મી એપ્રિલે તેઓ બારડોલીમાં જાહેરસભા સંબોધશે.

Related posts

પીએમ મોદીએ સુરતમાં ૨૮ કિમી જેટલો મેગા રોડ શો યોજ્યો : મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા

Charotar Sandesh

ગુજરાત આયકરને ૬૩૦૮૫ કરોડનો કર વસૂલાતનો લક્ષ્યાંક : ૨૦૧૯-૨૦નો રીઝીયનવાઈઝ અપાયો પ્રાથમિક ટાર્ગેટ

Charotar Sandesh

#Budget2019 : પેટ્રોલ-ડીઝલ-સોના-ચાંદી મોંઘા : શ્રીમંતોની કમાણી ઉપર સરચાર્જ : બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ

Charotar Sandesh