Charotar Sandesh
બોલિવૂડ

લગ્નમાં અમે બધાને આમંત્રણ આપીશુ,અત્યારે લગ્ન નથી કરવાના : અર્જુન કપૂર

સોશિયલ મીડિયામાં જો સૌથી વધારે કોઈ કપલ લવની બાબતમાં અને ઉમરની બાબતમાં પણ ચર્ચાતું હોય તો તે છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે લગ્ન પર ખુલીને વાત કરી છે. લગ્નમાં કોને કોને બોલાવશે એ પણ વાત કરી છે. આ સાથે સાથે અર્જુને બહેન ખુશી અને જ્હાનવીની પણ વાત કરી છે.
એક ઈન્ટરવ્યૂમાં મલાઈકા સાથે લગ્ન વિશે અર્જુન કપૂરને સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ આપ્યો કે, હજુ સુધી લગ્નનો કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ લગ્ન વિશે જે કંઈ માહિતી હશે અમે બંન્ને સામેથી જણાવશું. લગ્નમાં અમે બધાને આમંત્રણ આપશું. પરંતુ અમે અત્યારે લગ્ન નથી કરવાનાં. અર્જુને કહ્યું કે શું તમે મારા પરિવારના લગ્નની રીત ભાત વિશે જાણો છો. તમને લાગે છે કે મને ચોરી છુપીથી મારો પરિવાર લગ્ન કરવા દેશે.
લગ્ન સિવાય બહેન વિશે વાત કરતા અર્જુને જણાવ્યું કે મને એના વિશે વધારે વાત કરવી પસંદ નથી. મારા વચ્ચે અને એના વચ્ચે બધા ભાઈ બહેન જેવો જ સંબંધ છે. અમે કેટલુક બોલીએ આ વિશે. જો બોલશું તો લોકો કહેશે કે પોપ્યુલર થવા માટે આ બધા કમઠાણ આદર્યા છે. મારી પાસે આવી હલકી વિચારશ્રેણી માટે સમય નથી.

Related posts

ઇરફાન ખાન સાથે કામ કરવાની ઉત્કટ ઇચ્છા હતીઃ કરીના

Charotar Sandesh

‘બિગ બોસ’ શોને અશ્લીલ ગણાવીને યુઝર્સે પ્રતિબંધ મૂકવાની માગણી કરી…

Charotar Sandesh

વરુણની ‘કૂલી નંબર ૧’ પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે?

Charotar Sandesh