Charotar Sandesh
બોલિવૂડ

વરૂણ-નતાશાના લગ્ન ક્યારે થશે તે પોતે જ નક્કી કરશેઃ ડેવિડ ધવન

મુંબઇ : બોલિવૂડમાં કોઇનાં પણ લગ્નની ખબરો મીડિયાથી જ લોકો સુધી પહોંચે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નની ખબરો બાદ બીટાઉનમાં અન્ય એક કપલનાં લગ્ન ચર્ચામાં છે. એક્ટર વરૂણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલનાં લગ્નની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે આ લોકો વર્ષ ૨૦૧૯નાં એન્ડમાં લગ્ન કરશે પરંતુ હવે ખબરો આવી રહી છે કે ૨૦૨૦ની ગરમીઓમાં આ બંને ગોવામાં લગ્નગ્રંથીથી જોડાશે.
વરૂણનાં લગ્ન અંગે પહેલીવાર પિતા ડેવિડ ધવને પ્રતિક્રિયા આપી છે. તેમણે વાતચીતમાં જણાવ્યું કે, બંનેનાં લગ્ન અંગે ઘણી ખબરો છપાઇ છે. પરંતુ તેમાંથી કોઇની પર પણ લોકોએ વિશ્વાસ મુકવો ન જોઇએ. લગ્ન ક્યાં અને ક્યારે થશે તે બધું જ વરૂણ અને નતાશા નક્કી કરશે.

જ્યારે તેમણે આ વર્ષમાં ગરમીમાં લગ્ન થશે કે નહીં તેવો પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, નવી તારીખ અને જગ્યા ખોટી છે. વરૂણનાં લગ્નની તારીખ જ્યારે પણ નક્કી થશે ત્યારે મીડિયાને હું જ ફોન કરીને જાણ કરીશ.

Related posts

અભિનેતા અર્જુન રામપાલ થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

કેરિયર ડૂબી ના જાય તે માટે લગ્નની વાત છૂપાવી રાખી હતી : જૂહી ચાવલા

Charotar Sandesh

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, અભિષેક હજી પણ હોસ્પિટલમાં

Charotar Sandesh