Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા ભારત પાસે અનુભવી ખેલાડીઓ છેઃ અમરનાથ

ભારતના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર મોહિન્દર અમરનાથનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતની ટીમ પાસે આગામી વન-ડે મેચોના વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા માટે આવડત અને અનુભવ છે, પણ તેના ખેલાડીઓએ યોગ્ય સમયે ઝળકવાનું રહે છે.
ભારત વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સધમ્પ્ટન ખાતે પાંચમી જૂને રમનાર છે.
“મારું માનવું છે કે ભારતીય ટીમ પાસે સારી આવડત અને અનુભવી ખેલાડીઓ છે જેઓએ યોગ્ય સમયે સારો દેખાવ કરવાનો રહે છે, એમ અમરનાથે અહીં એક કાર્યક્રમમાં  હતું. ભારતની ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજયી ટીમના મુખ્ય સભ્ય અમરનાથે એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે ફાસ્ટ બાલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાં ભારતના સંગ્રામમાં મહ¥વનો ભાગ ભજવશે.
“જસપ્રીત (બુમરાહ) ઘણો સારો બાલર છે અને તેની બાલિંગમાં ઘણી વિવિધતા છે અને મારું માનવું છે કે ભારત વતી તે મુખ્ય ભમિકા ભજવશે, એમ રાષ્ટ વતી ૬૯ ટેસ્ટ અને ૮૯ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમેલા ૬૮ વર્ષના અમરનાથે કહતું.

Related posts

રવિ કિશને કરી જાહેરાતઃ પ્રધાનમંત્રી મોદીના જીવન પર ભોજપુરીમાં ફિલ્મ બનશે

Charotar Sandesh

સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહીઃ પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત, રેકોર્ડ ૧.૧૦ લાખ કરોડ ફાળવાયા…

Charotar Sandesh