Charotar Sandesh
બોલિવૂડ

સાચ્ચા હીરોઝની બાયો-ફિલ્મો બનવી જોઇએ : સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઈ,
કારગિલ વૉરના શહીદ મેજર વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મ કરી રહેલા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે દેશમાં જે ખરા હીરોઝ છે તેમની બાયો-ફિલ્મ બનવી જોઇએે. ગમે તેની બાયો-ફિલ્મ બનાવવાનો કોઇ અર્થ રહેતો નથી.
આજકાલ બોલિવૂડમાં દેશભક્તિનો જુવાળ આવ્યો છે. પરંતુ સિદ્ધાર્થ એની સાથે સંમત નથી. એ કહે છે કે સીમાડા સાચવતા કે આતંકવાદ સામે લડતાં શહીદ થયાં હોય એવા સાચુકલા હીરોઝની બાયો-ફિલ્મ બનવી જોઇએ. ગમે તેની બાયો-ફિલ્મો બનાવવાનો શો અર્થ છે ?

સિદ્ધાર્થ પોતે પણ એક લશ્કરી પિતાનો પુત્ર છે. એણે કહ્યું કે હું આવી દેશભક્તિની ફોર્મ્યુલામાં માનતો નથી. મારા વિચારો અલગ છે. હું એમ માનું છું કે સાચ્ચા વીરોની બાયોફિલ્મો બને એ સાર્થક ગણાય. બાકી બાયો-ફિલ્મોનો કશો અર્થ નથી.

પોતાની આગામી ફિલ્મ શેરશાહ વિશે બોલતાં એણે કહ્યું કે આ ફિલ્મમાં લશ્કર નથી, ભારત પાકિસ્તાન વચ્ચેન વૈમનસ્યની વાત પણ નથી અને છતાં એક પ્રેરણાત્મક વાર્તા આ ફિલ્મમાં છે. અલબત્ત, મેજર વિક્રમ બાત્રાએ દેશ માટે જાન કૂરબાન કર્યો એ વાત નકારી શકાય નહીં. પરંતુ એક વ્યક્તિ તરીકે પણ એ દિલચસ્પ આદમી છે. અમે એ પાસું પણ ફિલ્મમાં રજૂ કરી રહ્યાં છીએ.

Related posts

અમિતાભ-અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ…

Charotar Sandesh

ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનાવશે અજય દેવગન…

Charotar Sandesh

‘શમશેરા’નાં શૂટિંગ માટે રણબીર, વાણી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પહોંચ્યા…

Charotar Sandesh