Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

૧૨ વીઘા જમીનના વિવાદ મામલે ઠાસરાના ધારાસભ્ય પર ૮ લોકોનો હુમલો…

નડીયાદ,
નડિયાદ સેશન્સ કોર્ટ નજીક ઠાસરાના ધારાસભ્ય(કોંગ્રેસ) કાંતિ પરમાર પર ૮ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ સેશન્સ કોર્ટમાં ડાકોરની ૧૨ વીઘા જમીનના વિવાદ અંગે મુદ્દત હતી. ધારાસભ્ય કાંતિ પરમાર કોર્ટમાં હાજરી આપીને જતા હતા ત્યારે રસ્તામાં હુમલો ૮થી વધુ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
તેમજ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે ડ્રાઈવર અને વકીલને વધુ ઈજા થઈ છે. હુમલા બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિ પરમારનો ઠાસરા બેઠક પરથી ભાજપના રામસિંહ પરમાર સામે વિજય થયો હતો.

Related posts

બ્રેકિંગ : આણંદ જિલ્લાના તારાપુરહાઈવે પર ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧૦ લોકોના કરૂણ મોત

Charotar Sandesh

આણંદ ખાતે યોજાયેલ પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા

Charotar Sandesh

કોરોના સામે જાગૃતિને લઇ ડાકોરના ગાયકે બનાવ્યો ગરબો….

Charotar Sandesh