Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ : ૧૯ ડિસેમ્બરે કોલકાત્તામાં યોજાશે ખેલાડીઓની હરાજી…

મુંબઇ : આગામી વર્ષે યોજાનારી આપીએલ સીઝન માટે ખેલાડીઓની હરાજી ૧૯ ડિસેમ્બરે કોલકત્તામાં કરવામાં આવશે. ગવર્નિંગ કાઉન્સિલે એક મીટિંગમાં આ નિર્ણય લીધો છે. આઈપીએલનું આયોજન દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં કરવામાં આવે છે. ત્યારે કોલકત્તામાં પહેલીવાર આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે.
ઉલ્લેખનયી છે કે કોલકત્તા શાહરુખ ખાન અને તેમની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સનું હોમ ગ્રાઉન્ડ છે.
ફ્રેન્ચાઈજીએ આઈપીએલ સીઝન ૨૦૧૯ માટે ૮૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે આઈપીએલ સીઝન ૨૦૨૦ માટે ૮૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. દરેક ફ્રેન્ચાઈજી પાસે ત્રણ કરોડ રૂપિયા પણ બેલેન્સ તરીકે રહેશે જે તેમને ગત હરાજીમાં આપવામાં આવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ પાસે આ દરમિયાન સૌથી વધુ ૮.૨ કરોડ રૂપિયાનું બેલેન્સ છે જ્યારે રાજસ્થાન રૉયલ્સ પાસે ૭.૧૫ કરોડ રૂપિયા અને કોલકત્તા નાઈટ રાઇડર્સ પાસે ૬.૦૫ કરોડ રૂપિયા બેલેન્સ છે.

Related posts

કોરોના કાળ વચ્ચે સપ્ટેમ્બર-નવેમ્બરમાં IPL લીગ યુએઇમાં રમાશે : રિપોર્ટ

Charotar Sandesh

મારાડોનાની અંતિમ યાત્રામાં ચાહકો ઊમટી પડ્યા, પોલીસ સાથે થયું ઘર્ષણ…

Charotar Sandesh

બર્થ-ડે પાર્ટીની ઉજવણી બાદ દુનિયાનો સૌથી ફાસ્ટ રનર યુસૈન બોલ્ટ કોરોનાગ્રસ્ત…

Charotar Sandesh