Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

દેશમાં સિંહની સરકારની જરૂર છે નહિ કે ઉંદરની સરકારઃ રામવિલાસ પાસવાન

લોક જનશક્ત પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યુ કે, દેશને સિંહની સરકારની જરૂર છે. નહીં કે ઉંદરની સરકાર. દેશમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન પીએમ મોદીની આંધી શરૂ થઈ છે. અને દેશમાં ફરીવાર એનડીએના તોફાનમાં વિપક્ષની હાર થવાની છે.
તેમણે કે, દેશમાં મહાગઠબંધનની કોઈ લહેર નથી. જેથી દેશમાં ફરીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. રામ વિલાસ પાસવાને એવો પણ દાવો કર્યો કે, ૨૦૧૪ની ચૂંટણી કરતા એનડીએને વધુ બેઠક મળવાની છે. મહત્વપૂર્ણ છે કે, બિહારમાં રામ વિલાસ પાસવાન એનડીએ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જેથી એલજેપીને છ બેઠક ફાળવવામાં આવી છે.

Related posts

વાત કરોડોની, દુકાન પકોડાની અને સંગત ભગોડાનીઃ PM મોદી પર સિદ્ધુના ચાબખા

Charotar Sandesh

‘ફાઇટર્સ ૨’માં રિતિક રોશન આર્મી મેનનું પાત્ર ભજવે તેવી અટકળો

Charotar Sandesh

હરિયાણા વિધાનસભા : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને ૩૩% અનામતનુ વચન…

Charotar Sandesh