Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ૫૦ વર્ષની મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

આણંદ : ઓડ ગામે રહેતા કાંતિભાઈ મોતીભાઈ પ્રજાપતિના પત્ની ઉ.વ. ૫૦ ગઈકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં ઘરેથી આણંદ પેન્શન ઓફિસે કામ માટે જાવું છું તેમ કહીને નીકળ્યા હતા. તેઓ મોડી રાત સુધી ઘરે ન આવતાં તેમના પરિવારજનો આણંદ પેન્શન ઓફિસ તથા આજુબાજુ તપાસ કરી હતી. તે દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું. ખંભોળજ-પ્રતાપપુરા માર્ગ ઉપર અજાણી મહિલાની લાશ પડી છે. જેથી તેઓએ ખંભોળજ પોલીસને જાણ કરી હતી
પોલીસ સાથે તેઓ ખંભોળજ-પ્રતાપપુરા રોડ ઉપર તપાસ હાથ ધરતાં સીમ વિસ્તારમાં લક્ષ્મીબેન ઉ.વ. ૫૦નો મૃતદેહ માટીમાં ખુંપેલી હાલતમાં મળી આવ્યો હતો તથા માથાના ભાગે અને શરીરે લોહીલુહાણ હાલતમાં જાવા મળ્યા હતા. જેથી કોઈ અજાણ્યા ઈસમોએ તેઓની સાથે બળજબરી કરીને માથામાં અને શરીરે કોઈ હથીયાર કે બોથર્ડ પદાર્થથી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરી હતી. મુકેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિએ ખંભોળજ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ આપતાં પોલીસે આકસ્મિત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related posts

નડીઆદ : ૧૭.૬૬ લાખ ઉપરાંતની ૫૦૦ની બનાવટી નોટો સાથે 3 પકડાયા, પોલિસ તપાસ શરૂ…

Charotar Sandesh

RRSA INDIA દ્વારા જીવદયાને અનુલક્ષીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

Charotar Sandesh

સમગ્ર આણંદ જિલ્‍લામાં લાગુ કરાયેલ હથિયારબંધી – સભા-સરઘસબંધી…

Charotar Sandesh