Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ગૃહમંત્રી રાજનાથસિંહનું શÂક્ત પ્રદર્શનઃ રાડ શા બાદ લખનઉ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું

લખનઉ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજનાથ સિંહે લખનઉમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં રાજનાથ સિંહ સાથે યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ હાજર રહ્યાં હતા.
જણાવી દઇએ કે, રાજનાથ સિંહે ઉમેદવારી પત્ર ભરવા માટે શુભ મહૂર્તની પસંદગી કરી હતી. આ મહૂર્ત અનુસાર રાજનાથ સિંહ ૧૧.૪૫ વાગે જિલ્લાધિકારી કાર્યાલય પહોંચ્યા અને ૧૧ વાગીને ૫૦ મીનિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ભાજપના આ ઉમેદવારના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી હંસરાજ આહીર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, ડો. દિનેશ શર્મા, પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે, પાર્ટીના રાષ્ટÙીય પ્રવક્તા સુંધાંશુ ત્રિવેદી, મંત્રી બ્રજેશ પાઠક, સાંસદ કલરાજ મિશ્ર, જેડીયૂના મહાસચિવ કેસી ત્યાગી, પૂર્વ સીએમ ઉત્તરાખંડ રમેશ પોખરિયાલ નિશંક સહિત ઘણા મંત્રી અને ભાજપના પદાધિકારીઓ રોડ શોમાં હાજર રહ્યાં હતા.

Related posts

દેશમાં કોરોનાનો આતંક : દર કલાકે ૧ હજાર કેસ..!! કોરોનાના સંક્રમિતોનો આંકડો વધીને ૬,૭૩,૧૬૫…

Charotar Sandesh

ખાનગી હૉસ્પિટલોએ કોરોના સેન્ટર દત્તક લે : ઉદ્ધવ ઠાકરે કરી અપીલ…

Charotar Sandesh

ભાજપને હરાવવા વિરોધી પક્ષોની મોટી યુતિ જરૂરી : એનસીપી

Charotar Sandesh