Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…

યુવક-યુવતીઓ સહિત ભૂલકાંઓ સૂર અને લયનાં તાલે ગરબે ઘૂમ્યા…

આણંદ : આણંદ સહિત ચરોતરમાં નવરાત્રીના ત્રીજા-ચોથા નોરતે ખેલૈયાઓ ધમાકાભેર ગરબાની રમઝટ બોલાવી હતી. પહેલા બે દિવસ વરસાદના કારણે કેટલાક પાર્ટીપ્લોટો બંધ રહ્યા હતા. જેના કારણે ગરબાપ્રેમીઓ હતાશ થયા હતા.


જોકે ત્રીજા નોરતે મેઘરાજા શાંત રહેવાથી ખેલૈયાઓએ જાણે બે દિવસની કસર કાઢી હોય તેમ રાતભર ભારે ઉત્સાહ જોવા મળ્યા હતા. જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે.


છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. આણંદ શહેરના અનેક ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે. મા જગંદબા, મા આદ્યશકિતની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.
નવરાત્રિ એટલે માં જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ. શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જ્‌વળ પરંપરા છે.

Related posts

આણંદ શહેરમાં ગોપાલ ચોકડી પાસે ઈન્ડીયન બેંકના એટીએમમાં લાગી હતી આગ…

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ પરિવારે વિશેષતાથી ઉજવ્યો

Charotar Sandesh

અડાસના સામાજીક સેવક જયરાજભાઈના જન્મદિન નિમિત્તે આણંદ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

Charotar Sandesh