Charotar Sandesh
બોલિવૂડ

મોટા ડાયરેક્ટર મને નહિ માત્ર ખાન-કપૂરને જ કાસ્ટ કરે છે : અક્ષય કુમાર

મુંબઈ : અક્ષય કુમાર અવોર્ડની વાત હોય કે પછી વ્યસનની વાત હોય બધા જ હીરો વિશે સાચું કહી દેવામાં અને પડદા પાછળની કહાની જણાવવામાં એક્સપર્ટ છે. તમે નોટિસ કર્યું હશે કે અક્ષય કુમાર મોટા ભારે નવા ડાયરેક્ટર સાથે જ કામ કરે છે. હવે એની પાછળનું કારણ ખિલાડીએ જણાવ્યું છે કે જેના કારણે અક્ષય ચર્ચામાં છે. ગુડ ન્યૂઝના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષયે જણાવ્યું હતું કે મોટા ડાયરેક્ટર તેને કાસ્ટ નથી કરતાં.

અક્ષય કુમારે વાત કરી કે જ્યારે મોટા લોકો તેની ફિલ્મોમાં નથી લેતા તો તમારે ખુદ તમારી જર્ની શરૂ કરવી પડે છે. જ્યારે મોટા પબ્લિકેશનમાં તમને જોબ નથી મળતી તો તમે નાના પબ્લિકેશન તરફ જતા હોય. ત્યાંથી તમે જંપ કરો અને આગળ વધો. તમે એવું ન વિચારો કે હું આટલો સક્ષમ હોવા છતાં લોકો તમને શા માટે નથી લેતા.
ત્યારબાદ અક્ષય કુમારને પુછવામાં આવ્યું કે એક સમય હતો કે મોટા ડાયરેક્ટરો માત્ર ખાન સાથે જ કામ કરતાં. તો જવાબ મળ્યો કે, મોટા ડાયરેક્ટર એની પાસે જ જાય છે કે જે ડિઝર્વ કરે છે. તમે જોઈ શકો છો કે માત્ર ખાન જ નહીં પણ કપૂર્સ અને બીજા પણ ઘણા લોકો છે. મે વિચાર્યું કે હું એના માટે લાયક નથી તો એ મને કાસ્ટ નહીં કરતાં હોય અને મે મારી રીતે કામ કરવાનું શરૂ કર્યું.

Related posts

પ્રવાસી મજૂરોની મદદ કરી રહેલા સોનુ સૂદેની સ્મૃતિ ઈરાનીએ કરી પ્રશંસા…

Charotar Sandesh

નિર્ભયાના વકીલ સીમાએ સુશાંતની મોતને મર્ડર ગણાવ્યું…

Charotar Sandesh

અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર આઈટીના દરોડા…

Charotar Sandesh