Charotar Sandesh
ઈન્ડિયા

આસામમાં પૂરની સ્થિતિ ખુબ જ ગંભીર, ૧૩ લાખ લોકો પ્રભાવિત…

ગુવાહાટી : આસામમાં પૂર અને ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. રાજ્યમાં કુદરતી આફતની સ્થિતી વધુ ગંભીર બનતી જણાય છે. રાજ્યના ૨૪ જિલ્લાઓમાં આશરે ૧૩ લાખ લોકો પ્રભાવિત થયા છે.

એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સતત વરસાદને પગલે બરપેટા જિલ્લામાં ૪૮૭ ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત એનડીઆરએફની ટીમોએ માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોની સ્ક્રિનીંગ અને કોવિડ-૧૯ કટોકટીના કારણે યોગ્ય સામાજિક અંતર જાળવવામાં જિલ્લા વહીવટને પણ મદદ કરી હતી.
એનડીઆરએફની ટીમોએ સ્થળ પર પહોંચી અને ૭૭૭ ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરી સલામત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત ટીમો પણ જિલ્લા પ્રશાસનને માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોમાં તપાસ કરવામાં મદદ કરે છે અને કોવિડ-૧૯ મહામારીને લીધે યોગ્ય સામાજિક અંતર જાળવી રાખે છે. એનડીઆરએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રથમ બટાલિયન દ્વારા ગુવાહાટીમાંથી આ વર્ષે ચોમાસાની ઋતુમાં ૯૫૦થી વધુ ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરાયા છે. ૧૮ જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓ, પુલ અને અન્ય માળખાઓને નુકસાન પહોંચ્યું છે.

હવામાન વિભાગે આગામી બે દિવસમાં વધુ વરસાદની આગાહી કરતા પ્રદેશના અન્ય રાજ્યોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

Related posts

વડાપ્રધાન મોદી સિવાય દરેકને સેના પર ભરોસો છો : રાહુલ ગાંધી

Charotar Sandesh

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો આજે છેલ્લો દિવસ : બેદરકાર દાખવશો તો ભરવી પડશે પેનલ્ટી જાણો

Charotar Sandesh

બિહાર પેટાચૂંટણીમાં કન્હૈયાકુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશે

Charotar Sandesh