Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલો : સુરક્ષાદળો પર ફાયરિંગ : ર જવાન શહીદ…

સોપોરમાં આરામપોરામાં કરાયેલા હુમલામાં બે નાગરિકોના પણ મોત થયા…

સોપોર : જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આરામપોરામાં આતંકવાદીઓ અને પોલીસ તેમજ સીઆરપીએફની સંયુક્ત ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મીઓ અને બે નાગરિકોના મોત થયા છે. આ ઓપરેશનમાં બે પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાનો હાથ છે. બે જવાન શહીદ થયા છે અને બે નાગરિકોના મોત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક જાવનને ઈજા થતા તેને બાદમાં આર્મીની ૯૨ બેઝ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવી છે. સોપોરમાં આતંકીઓએ ટીમ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો છે. હુમલામાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા અને બે નાગરિકોનાં મૃત્યુ થયાં. વિસ્તારને હાલ ઘેરીને સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…

Charotar Sandesh

નવતર પ્રયોગ : મધ્યપ્રદેશના ખંડવામાં વેક્સિન નહિં તો શરાબ નહીં આપવામાં આવે

Charotar Sandesh

મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ…

Charotar Sandesh